Maun Dhyan Sadhana Shibir – 14 – Samvedana 4

1 Min Read

હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં
( રચયિતા: ઉપા. યશોવિજયજી )

પ્રભુ! તારા ધ્યાનમાં થોડું ડૂબવાનું થયું. મન શાંત, સ્વસ્થ બન્યું. તારા ચહેરા પર રહેલા સમતારસનું પાન થયું અને મારી ભીતર રહેલા જ્ઞાન અને આનંદની અનુભૂતિ થઇ.

પરંતુ પ્રભુ! હું આટલાથી સંતોષ માનવાનો નથી. મારે તો તારી અદ્ભૂત, દિવ્ય અનુભૂતિ જોઈએ છે. અને મને ખબર છે કે એ અનુભૂતિ શબ્દો કે વિચારો દ્વારા પામી શકાતી નથી.

એટલે હું તારા ચરણોમાં બેસીને ધ્યાનના એવા ઊંડાણમાં જવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં મારા શબ્દો અને વિચારો છૂટી જાય, મારું કૉન્શિયસ માઈન્ડ બાજુએ જતું રહે અને તું તારી એ દિવ્ય અનુભૂતિનો એક અંશ મને પણ આપી શકે!

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *