Maun Dhyan Sadhana Shibir – 15 – Vanchan 10

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

સ્વાનુભૂતિ અને ઉદાસીનદશા

  • પ્રભુએ જે રીતે કહ્યું છે તે રીતે માનવું અને આંશિકરૂપે અનુભવવું – તે સમ્યગ્દર્શન. શરીરમાં હું-પણાની બુદ્ધિ જે અનંત જન્મોથી હતી, તે જાય; હું એટલે નિત્યનૂતન આત્મતત્ત્વ એ માન્યતા સ્થિર થાય અને એવા આત્માની આંશિક અનુભૂતિ થાય – તે સમ્યગ્દર્શન. સ્વની અનુભૂતિ. ચોથું ગુણસ્થાનક.
  • દર્શનમોહનીયના ક્ષયોપશમથી ચોથું ગુણસ્થાનક મળે. પણ ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થયો નથી ત્યાં સુધી પરમાં સુખબુદ્ધિ ટકેલી છે. પરમાંથી સુખબુદ્ધિ ક્યારે ટળે? ઉદાસીનદશા આવે ત્યારે.
  • પાંચમા, છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકે ઉદાસીનદશા ઉત્તરોત્તર વધતી જાય. શરીર માટે અનિવાર્ય એવા પર દ્રવ્યોનો ઉપયોગ થાય, પણ પર દ્રવ્યો દ્વારા સુખ મળે – એ બુદ્ધિ, એ ભ્રમણા ખતમ થઇ જાય. સુખ પરમાંથી મળે જ નહિ; સુખ માત્ર પોતાની ભીતરથી જ મળે.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *