Maun Dhyan Sadhana Shibir – 15 – Vanchan 5

4 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

પ્રભુ નિર્મળ દરિસન કીજિએ

  • પ્રભુનું નિર્મળ દર્શન કેવી રીતે થાય? પ્રારંભિક કક્ષાના સાધક માટે નિર્મળ દર્શન એટલે આંસુ વહેતી આંખોથી થતું દર્શન. ઊંચકાયેલા સાધક માટે નિર્મળ દર્શન એટલે નિર્વિચારતાની પૃષ્ઠભૂ પર થતું દર્શન.
  • ધ્યાતા (ધ્યાન કરનાર), ધ્યેય (પ્રભુ / પ્રભુના ગુણો) અને ધ્યાન (ધ્યાતા અને ધ્યેયને જોડતી કડી) માં અભેદ થાય – સાધકની ચેતના પ્રભુના ગુણો અથવા પ્રભુના સ્વરૂપમાં એકાકાર બની જાય – તે સમાધિ.
  • જ્યાં સુધી સમાધિનો આસ્વાદ તમે પોતે આંશિકરૂપે પણ મેળવ્યો નથી, ત્યાં સુધી તમે પ્રભુની સમાધિને જોઈ શકતા નથી.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *