Maun Dhyan Sadhana Shibir 16 – Vachana – 3

20 Views
28 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject: ધર્મ એટલે જીવન જીવવાની કળા

જે તમને સુખની, આનંદની ક્ષણોમાં ધારી રાખે, પકડી રાખે – તે ધર્મ. એવી system કે જેને follow કરવાથી તમે સતત આનંદમાં રહી શકો – એનું નામ ધર્મ.

તમારું મન અત્યારે જે system ને follow કરે છે, તેમાં તમને સુખ અને દુઃખની feeling થયા કરે છે. તમારી મનગમતી ઘટના ઘટી, તો સુખની feeling. અણગમતી ઘટના ઘટી, તો પીડાની feeling. એટલે કે તમારું સુખ તમારા પોતાના control માં ન રહ્યું; ઘટનાઓના control માં જતું રહ્યું!

જો તમારે સતત આનંદમાં રહેવું છે, તો આ system ને બદલવી પડે. તમારું જે મન સતત પરમાં વહે છે, એને સ્વ તરફ વહેવડાવવું પડે; ઘટનાઓથી અપ્રભાવિત બનવું પડે. અને એ માટે સૌથી પહેલા મનને એક positive touch આપવો પડે.

મૌન ધ્યાન સાધના શિબિર ૧૬ સુરત વાચના – ૩

પ્રભુએ આપેલી સાધના easiest છે, shortest છે, sweetest છે. સાધના છે easiest. છે સરળતમ. અગણિત જન્મોથી તમારી ચેતના તમારો ઉપયોગ તમારું મન પરમાં વહેતું આવ્યું છે, એને સ્વમાં મુકવું છે, એટલે ચેતનાને, ઉપયોગને ક્યાંક વહેવડાવાનો તમને અનુભવ છે, ફરક એટલો જ કરવો છે કે સતત મન પરમાં વહી રહ્યું છે, એને સ્વમાં વહેવડાવવું છે. સવાલ થશે શા માટે? પરમાં મન સતત વહે છે, તમારો શું અનુભવ છે બોલો… ધર્મ એટલે બીજું કાંઈ જ નહિ, અનુભૂતિ. અહીંયાથી તમારો પોતાનો અનુભવ લઈને તમારે નીકળવું છે, તો આપણે વિચારીએ કે મન સતત પરમાં રહે છે એથી તમને કેવી feeling થાય છે? તમને સારું લાગતું હોય તો આપણે બદલવાની વાત ન કરીએ, પણ હકીકત એ છે કે મન પરમાં વહ્યા કરે છે, પરિણામે સુખ અને દુખની feeling થયા કરે છે, તમારી મનગમતી ઘટના ઘટી, તો સુખની feeling, અણગમતી ઘટના ઘટી તો પીડાની feeling… એટલે કે સુખ તમારા હાથમાં ન રહ્યું, બરોબર?

સુખ તમારા હાથમાં ન રહ્યું, ઘટનાના હાથમાં રહ્યું. અણગમતી ઘટના ઘટી, પીડા આવી, તો સુખ તમારા હાથમાં નહિ, ઘટનાના હાથમાં, હવે આપણે એવું કંઈક કરી શકીએ કે સુખ આપણા હાથમાં રહે? આનું જ નામ ધર્મ. ધર્મ એટલે બીજું કાંઈ નહિ, તમે સતત આનંદમાં જેનાથી રહી શકો એનું નામ ધર્મ. જે તમને સુખની, આનંદની ક્ષણોમાં ધારી રાખે, પકડી રાખે, એ જ ધર્મ. તો હવે લાગે કે મનને ફેરવવું જોઈએ, જો મન આ રીતે ઘટનાઓમાં જઈને માત્ર પીડિત થતું હોય, તો મનને ફેરવીએ, અને એમાં પણ તમે પોતે જોઈ લો, સુખની ઘટનાઓ કેટલી? અને પીડાની ઘટનાઓ કેટલી? સુખની ઘટના દિવસમાં એકાદ કદાચ હોય, પીડાની ઘટના કેટલી? દીકરાએ આમ કર્યું, દીકરીએ આમ કર્યું, દીકરાની વહુએ આમ કર્યું. તમારા મનની ઇચ્છાથી વિરુદ્ધ સહેજ પણ કોઈએ કંઈક કર્યું એટલે તમે પીડામાં આવી ગયા.

તો પરની અંદર મન, ઉપયોગ, ચેતના સતત વહે તો દુઃખ મળે છે. આ જો અનુભવ તમને થાય તો જ તમે મનને બદલવા તૈયાર થશો. નહીંતર અમારી વાત અમારી પાસે રહેવાની. જે ક્ષણે તમને થાય કે આ સીસ્ટમ તો બરોબર નથી ત્યારે જ તમે સીસ્ટમને બદલવાની વાત પર તૈયાર થશો. પણ જે સીસ્ટમ તમારી પાસે છે, અને જેને તમે follow up કરી રહ્યા છો, એમાં તમે adjust થઇ ગયા છો, તો તમે ક્યારેય પણ તમારી સીસ્ટમને ફેરવવાના નથી.

તો પહેલી વાત તમારા મનમાં નક્કી થવી જોઈએ, કે આ જે સીસ્ટમથી તમે ચાલો છો, એ સીસ્ટમ follow up કરવા જેવી નથી. જો સુખ જોઈતું હોય, જો આનંદ જોઈતો હોય, તો આ સીસ્ટમ કામ નહિ આવે, આટલું તમારા મનમાં બેસી ગયું? તમારા પાસેની જે સીસ્ટમ છે એ સીસ્ટમ તમને પરમાં લઇ જશે, અને પરમાં લઇ જઈને પીડામાં લઇ જશે. તો પીડા જો ન ગમતી હોય, તો સીસ્ટમ બદલવી પડશે. બદલવી છે સીસ્ટમ? બીજું કંઈ જ કરવાનું નથી, મન, ઉપયોગ, જે પરમાં વહી રહ્યો છે, એને સ્વમાં મૂકી દેવાનો છે, easiest થઇ ગઈ ને સાધના… કેટલી સરળ… મન પરમાં હતું, સ્વમાં મૂકી દો, પરમાં દોડવાનો અનુભવ છે, સ્વમાં દોડો. દોડવાનો અનુભવ તો છે જ, એ મન પરમાં દોડતું હતું, હવે એને સ્વમાં દોડાવો. પ્રભુએ કેટલી મજાની system આપી, દશવૈકાલિક સૂત્ર સાધુ જીવનનું સૌથી પહેલું સૂત્ર. અને એમાં પ્રભુએ આ સીસ્ટમ અમને આપી, પ્રભુએ કહ્યું ‘જે ભવન્તિ અણિસ્સિઆ’ મારા મુનિવરો, મારી સાધ્વીઓ પરથી અનિશ્રિત હોય, પરથી અપ્રભાવિત હોય, જે ક્ષણે અમને પ્રભુની આ પ્રસાદી મળી પર સાથેનું અમારું connection તૂટી ગયું, શું હતું? જ્યાં સુધી આ પ્રભુની પ્રસાદી ન મળી, કેન્દ્રમાં હું હતું. કેન્દ્રમાં હું હતું એટલે ઘણી બધી ગરબડો થઇ. જે ક્ષણે આ પ્રભુની પ્રસાદી મળી, પ્રભુ કેન્દ્રમાં આવ્યા, પ્રભુની આજ્ઞા કેન્દ્રમાં આવી, હું પરિઘમાં ખૂણે – ખાંચણે ચાલ્યું ગયું. તમારામાં અને અમારામાં માત્ર યુનિફોર્મનો ફરક છે એવું નહિ માનતા, મારી વાચનાઓ ચાલતી વેસુમાં, ૪૦૦ – ૫૦૦ સાધ્વીજીઓ બેઠેલા હોય, અત્યારે અહીંયા પણ આવું જ લાગે છે હો.. યા તો તમે ચંદનાજી હોવ યા તો તમે સુલસાજી હોવ, white dress આવી ગયો છે, હવે આ મળી જાય તો ચંદનાજી બની જાવ, અને એ ન મળે તો સુલસાજી…  જે ભવન્તિ અણિસ્સિઆ – પર સાથેનો સંપર્ક તૂટી ગયો. હવે કોઈ પણ મુનિ પરથી પ્રભાવિત નહિ, પરને પ્રભાવિત કરવાની એની ઈચ્છા પણ નહિ. પ્રભાવિતતા ચાલી ગઈ. ન તો એ પરથી પ્રભાવિત થાય, ન એ પરને પ્રભાવિત કરવાની કોશિશ કરે.

મહાવિદેહમાં સૌધર્મેન્દ્રે સીમંધર દાદાને પૂછેલું કે પ્રભુ! અત્યારે ભરતક્ષેત્રમાં શ્રેષ્ઠ જ્ઞાની પુરુષ કોણ છે? એ વખતે દેવચંદ્રજી ભગવંત આપણા ભરતક્ષેત્રમાં વિચરતાં હતા, સીમંધર દાદાએ કહ્યું; કે દેવચંદ્રજી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાની પુરુષ અત્યારે ભરતક્ષેત્રમાં છે, ઇન્દ્ર દેવચંદ્રજી ભગવંતને વંદન કરવા માટે આવે છે, બ્રાહ્મણના રૂપમાં, બ્રાહ્મણના રૂપમાં આવ્યા, એ વખતે ગુરુદેવ પ્રવચન આપી રહ્યા છે, સભામાં છેડે જઈને ઇન્દ્ર બેસી ગયા, ઇન્દ્રત્વનું અભિમાન નથી, કે હું ઇન્દ્ર આગળ આવીને બેસું, એ પાછળ સભામાં બેઠેલા છે, દેવચંદ્રજી ભગવંતને પોતાના શ્રુતજ્ઞાન દ્વારા ખ્યાલ આવી ગયો કે સૌધર્મેન્દ્ર આવ્યા છે, એ ખ્યાલ આવ્યા છતાં જે રીતે બોલતા હતાં એ જ રીતે બોલી રહ્યા છે, સૌધર્મેન્દ્ર આવેલ છે તો એને હું પ્રભાવિત કરું આ વાત એમની પાસે હતી નહિ. તો મન પરપદાર્થોથી, પર વ્યક્તિઓથી પ્રભાવિત હોય તો પીડા થાય. બરોબર? નક્કી થઇ ગયું આટલું?

પરમાં ગયા ત્યાં પીડા, પેલો આવો છે ને પેલો આવો છે. અરે! પેલાની ક્યાં માંડે છે? તારી માંડ ને તું… એનામાં કંઈ હશે તો એ જોશે, અથવા એના સદ્ગુરુ જોશે, તારે શું? ગુજરાતીમાં એક કહેવત છે, ‘ભેંસના શિંગડા ભેંસને ભારે’ ભેંસના શિંગડા વજનદાર હોય, હવે કોઈ માણસે ચિંતા કરવાની જરૂર ખરી? કે આટલા વજનદાર શિંગડા કઈ રીતે ૨૪ કલાક ઉપાડીને ફરે છે, અરે ભાઈ ભેંસના શિંગડા ભેંસને ભારે… તારે ક્યાં ભારે છે… એમ કોઈનામાં પણ દોષ હોય, તો એને મુબારક, તમારે શું? એક સરસ સવાલ by the way તમને પુછું, તમારો એક સંબંધી છે, close friend. તમે સાંભળ્યું, કે કોઈ ટેસ્ટીંગ કરાવવા પણ ગયો, અને એમાં અચાનક આગળ ને આગળ ગયું ટેસ્ટીંગ અને કેન્સર third stage માં છે એવું detect થયું, તમે આ સાંભળ્યું, તમારા close friend માટે, એ વખતે તમારા મનનો અભિગમ શું હોય? response શું હોય? સાલાને કેન્સર થયું. આવું વિચારો કે અરે! આવા રુષ્ટ – પુષ્ટ માણસને, આવા સજ્જન માણસને કેન્સર થઇ ગયું. અને એ પણ detect થયું ત્યારે સીધું third stage માં ! તમારો અભિગમ કેવો હોય, સંવેદનાત્મક હોય કે ધિક્કારાત્મક હોય? બોલો… સંવેદનાત્મક હોય ને! તિરસ્કારાત્મક તો ન હોય ને, સારું થયું સાલાને કેન્સર થયું, ત્યાં તમે શું વિચારો છો? રોગ ખરાબ , રોગી ખરાબ નહિ, બરોબર… રોગ ખરાબ છે, રોગી ખરાબ નથી. જ્યારે મનુષ્યોને જોવાના છે બીજા, ત્યારે તમારું મન તમારી સાથે ચીટીંગ કરે છે, એ વખતે તમને એ દોષ ખરાબ નથી લાગતો, દોષી ખરાબ લાગે છે. સાલો ક્રોધી છે, એની પાસે જવાનું હોય! વાત મુકો, નામ મુકો એના નામનું…. અહંકારી માણસ કોણ એની પાસે જાય. ત્યાં તમને અહંકાર ખરાબ નથી લાગતો, ક્રોધ ખરાબ નથી લાગતો, અહંકારી અને ક્રોધી ખરાબ લાગે છે. આ શું થયું? તમારા મનનું તમારી સાથેનું ચીટીંગ. પેલામાં તમને સ્પષ્ટ સમજાયું રોગ ખરાબ કે રોગી ખરાબ? કોણ ખરાબ… રોગ ખરાબ… અહીંયા તમે આખી બાજી બદલી નાંખી. દોષ ખરાબ નહિ, એ દોષ મારામાં હોય તો ય વાંધો નહિ, દોષી ખરાબ. પેલો માણસ એ અહંકારી છે એ ખરાબ છે… આનું કારણ શું તમારા ખ્યાલમાં આવ્યું?

પંન્યાસજી ભગવંતે આપણા યુગના એક શ્રેષ્ઠ સાધના ગુરુએ આનું ઊંડું ડાયગ્નોસીસ આપણને આપ્યું છે, એમણે કહ્યું કે પ્રભુના બે અપરાધ આપણે અનંતા જન્મોથી કરતાં આવ્યા છીએ, ક્યાં બે અપરાધ? જડ પ્રત્યે રાગ. ચેતના પ્રત્યે શત્રુતા દ્વેષ.

એક નાનકડી વાત કહું. એક ભાઈ એક તીર્થમાં ગયેલા. સવારે ગયા, દર્શન પ્રભુનું કર્યું, નાસ્તો કર્યો, નીચેની એક રૂમ એમણે લીધેલી, એ રૂમમાં ગયા, કે હવે સ્નાન કરીને પૂજા માટે જાઉં, એ વખતે એમનો એક મિત્ર આવ્યો બહારથી, નીચેની રૂમ બધી full થઇ ગયેલી, એટલે એણે ઉપરની રૂમ લીધી. આ ન્હાવાનો વિચાર કરે છે ત્યાં ઉપરથી પેલા મિત્રનો ફોન આવ્યો કે તરત ઉપર આવ. એક કોન્ફરન્સ મીટીંગ ફોન ઉપર કરવી છે, તારું કામ છે, જલ્દી આવી જા. એટલે પેલો માણસ રૂમની બહાર નીકળ્યો, રૂમને lock કર્યું, અને ઉપર જાય છે, બે બાજુ રૂમ ને વચ્ચે દાદર… થોડો અંદર.. આ ઝડપથી ચાલે છે, એ જ વખતે એક વ્યક્તિ દાદર પરથી ઘસારાબંધ નીચે ઉતરી રહ્યો છે, તો ખૂણા ઉપર આ બંને ભટકાણા. દાદર હતો અંદર… અને આને દેખાય એવું નહોતું… દાદરવાળાને આ દેખાય એવો નહોતો. બંને જણા ખૂણા ઉપર ભટકાણા. એ વખતે આ નીચેવાળા યાત્રિકને ગુસ્સો આવ્યો, એણે કહ્યું જોતા નથી? ખબર પડતી નથી? પેલાએ મિચ્છામિ દુકકડમ્ કર્યું અને જતો રહ્યો… હવે આમાં દેખાય એવું હતું જ ક્યાં? એ ઉપર ગયો, કોન્ફરન્સ પતી ગઈ, પછી નાહ્યો પૂજા કરી, જમ્યો, સાંજે પણ જમ્યો, રાતનો સમય… ૧૦ વાગેલા, એ ધર્મશાળા જુના જમાનાની… ટોયલેટ અંદર નહોતું, ટોયલેટ કોમન હતા, બહાર હતા, ૧૦ વાગ્યા, એને બાથરૂમ જવું હતું, અધૂરામાં પૂરું લાઈટ off થઇ ગઈ. અંધારામાં ટોયલેટ જે બાજુ છે એ બાજુ એ જાય છે પણ દિવસે ૨ – ૫ વાર ગયેલો દિશા ખ્યાલ હતી, પણ વચ્ચે એક ઝાડ આવે છે એવી ખબર નહોતી. અંધારું સઘન, જોશથી ડગલાં ભરે છે અને એમાં ઝાડ વચ્ચે આવ્યું, ઝાડ સાથે જોરથી અથડાયો, દિવસે પેલા જોડે અથડાયો ત્યારે વાગ્યું એના કરતાં વધારે વાગ્યું હતું અત્યારે… અત્યારે ગુસ્સો કેટલો આવે ભાઈ? ઝાડ ઉપર ગુસ્સો કેટલો આવે, તમારું મન સામાન્યતયા ચીટીંગ શું કરે તમારી… કે મને વાગ્યું ને માટે મને ગુસ્સો આવ્યો… આ ચીટીંગ આ કરે, જો વાગ્યું એટલે ગુસ્સો આવ્યો હોય તો સવારે આવ્યો એના કરતા રાત્રે વધારે ગુસ્સો આવવો જોઈતો હતો… તો આ જે તમારું મન તમારી સાથે ચીટીંગ કરે છે, એ ચીટીંગમાંથી તમને બહાર કાઢવા છે. ધર્મ એટલે બીજું કંઈ નહિ, શુદ્ધ હૃદય, નિર્મળ હૃદય. તમારું હૃદય નિર્મળ ત્યારે બનશે, જ્યારે ચેતના પ્રત્યેની મિત્રતા તમારી પાસે આવશે ત્યારે…. બહુ ઊંડી વાત કરું… આ ચેતના પ્રત્યેની શત્રુતા એટલી તો ઊંડી ગયેલી છે કે કહેવાતાં સાધકો પણ આમાં લપેટાઈ જતાં હોય છે.

એક ઝેન કથા છે. લીચી નામના એક ભિક્ષુ હતા. સવારના પહોરમાં ઉઠ્યા, આશ્રમની પોતાની રૂમમાંથી બહાર લટાર મારવા નીકળ્યા. થોડે દૂર નદી હતી, નદીના કાંઠે ગયા, ત્યાં એમણે જોયું એક નાવ ધીરે ધીરે નદીમાં સરતી હતી. લીચી એ નાવમાં બેસી ગયા અને નાવમાં બેસીને આંખો બંધ કરી ધ્યાનમાં લાગી ગયા. ભિક્ષુ હતા, ધ્યાનનો રસ એવો હતો કે સહેજ free પડે એટલે ધ્યાનમાં પહોંચી જાય.

તમે ગાડીમાં બેસો, back sit journey તમારી હોય, અંદર બેઠા એટલે મોબાઈલ ઉપર ચાલુ થઇ જાવ. લીચી ધ્યાનમાં બેસી ગયા, એટલું ધ્યાન ગમે છે કે સહેજ free પડ્યા કે સીધા ધ્યાનમાં… તમારી કારમાં, ડીકીમાં કેટલા સારા પુસ્તકો હોય, સહેજ ટાઈમ મળ્યો નથી, સારા પુસ્તકો વાંચ્યા નથી. ઘરે, કારમાં બધી જ જગ્યાએ ઓફિસે સારા પુસ્તકોનો થપ્પો પડેલો હોય.

એક વાત by the way તમને કહું, બે પ્રતિક્રમણ સૂત્રો કે પંચ પ્રતિક્રમણ સૂત્રો તમને આવડે છે, એનો અર્થ જો તમને નથી આવડતો તો શિબિરમાંથી ગયા પછી પહેલું કામ એ સૂત્રોના અર્થને જાણવાનું કરજો. ઘણા લોકો કહે સાહેબ સાધના કરીએ, ચૈત્યવંદન કરીએ, સામાયિક કરીએ, આનંદ નથી આવતો… એ આનંદ ન આવવાનું એક કારણ આ છે, કે તમે જે સૂત્રો બોલો છો એના અર્થનો તમને ખ્યાલ નથી. એક વાત તમને ગેરંટી સાથે કહું, નમુત્થુણં નો અર્થ તમને આવડતો હોય, અને તમે નમુત્થુણં બોલો તમારી આંખો ભીની ન બને તો નવાઈ. ‘તિન્નાણં તારયાણં’ – પ્રભુ તરી ગયેલા તો હોય જ, પણ તારયાણં મને તારનારા છે, બસ મારે કંઈ જ કરવાનું નથી. પ્રભુ મને તારી દેશે. ખરેખર આપણે કંઈ કરવાનું નથી, ૯૯% grace, ૧% effort આ આપણી સાધના છે. ૯૯% grace, ૯૯% માત્ર કૃપા ૧% effort. ૧% તમારો પ્રયત્ન. અને એ પ્રયત્ન શું છે… receptivity.

એક બહુ મજાની વાત તમને કહું, પ્રભુની કૃપા સતત વરસી રહી છે, સતત.. એક ક્ષણ, એક સેકંડ એવી નથી, કે પ્રભુની કૃપા ન વરસતી હોય, તો અગણિત જન્મોથી એ કૃપા વહેતી હતી, મારો સંસાર અને તમારો સંસાર ચાલુ કેમ રહ્યો? ચાલુ એટલા માટે રહ્યો, કે કૃપા વરસતી હતી, આપણે એને ઝીલી ન શક્યા. We had no receptivity. એટલે માત્ર receptivity એ આપણી સાધના છે. એ કૃપાને તમે ઝીલી લો તમારી સાધના શરૂ. તમારી સાધના પૂરી. અહોભાવ આવ્યો, આંખમાં આંસુ આવ્યા, એ પ્રભુની કૃપાને તમે ઝીલી લીધી, તમારી સાધના દોડવા લાગી.

આનંદઘનજી ભગવંત ને પૂછવામાં આવેલું કે ગુરુદેવ! પ્રભુ અમને ચાહે છે? આનંદઘનજી ભગવંતે કહ્યું: હા, પ્રભુ તને ચાહે છે, પેલો ભક્ત વિમાસણમાં હતો,  પ્રભુ તો વીતરાગ છે, વીતરાગ પ્રભુ ચાહી શી રીતે શકે, પ્રભુ વીતરાગ છે, પણ આપણે ત્યાં બે શબ્દો આવ્યા, અરિહંત અને આર્હન્ત્ય. સક્લાર્હતમાં આપણે બોલીએ છીએ, ભુર્ભુવ: સ્વસ્ત્રયીશાનં, આર્હન્ત્યં પ્રણિદધ્મહે’ એ આર્હન્ત્ય એટલે પરમ ચેતના, એ આર્હન્ત્ય એટલે પરમ શક્તિ.

કલાપૂર્ણસૂરિ દાદાએ કહેલું કે અત્યારે મહાવીરપ્રભુનું આર્હન્ત્ય પણ સક્રિય છે, અને સામાન્ય પ્રભુનું આર્હન્ત્ય પણ સક્રિય છે, જે ક્ષણે મહાવીર પ્રભુનું શાસન નહિ રહે, એ વખતે મહાવીરપ્રભુનું આર્હન્ત્ય નહિ રહ. આર્હન્ત્ય હોય ત્યાં સુધી અરિહંતનું શાસન રહે, એ પછી સામાન્ય તીર્થંકરોનું આર્હન્ત્ય રહેશે. તો એ આર્હન્ત્ય એટલે પરમ ચેતના, એ આર્હન્ત્ય એટલે પરમ શક્તિ, એ આર્હન્ત્ય એટલે આજ્ઞા શક્તિ. તો આનંદઘનજી ભગવંતને પૂછ્યું પ્રભુ! અમને ચાહે છે? ત્યારે એમણે કહ્યું હા, પ્રભુ ચાહે છે. પેલાએ કહ્યું સાહેબ! તમે કહો છો એટલે સાચું જ હોય, પણ ખરેખર પુરાવો કોઈ ખરો આના માટે… એ વખતે ૧૫માં સ્તવનમાં આનંદઘનજી ભગવંતે આ કડી મૂકી, “દોડત દોડત દોડીયો, જેતી મનની રે દોડ, પ્રેમ પ્રતિત વિચારો ઢુકડી, ગુરુગમ લેજો રે જોડ” પ્રેમ પ્રતિત વિચારો ઢુકડી – ઢુકડી એટલે નજીક… પ્રભુના પ્રેમની અનુભૂતિ હમણાં જ તને થશે. મને તો પ્રભુના પ્રેમની અનુભૂતિ સતત થયા કરે છે, એક સેકંડ એવી ન હોય કે પ્રભુના પ્રેમનો અનુભુવ ન થતો હોય, ત્યારે એમ થાય કે શું પ્રભુ વરસી રહ્યા છે… એકેક વ્યક્તિની આટલી personal care પ્રભુ લઇ રહ્યા છે, તો પ્રભુના પ્રેમની અનુભૂતિ શી રીતે? દોડત દોડત દોડીયો, જેતી મનની રે દોડ – સાધનાના માર્ગમાં તમે એકદમ વેગથી દોડી રહ્યા છો, એ પ્રભુના પ્રેમનું પ્રતિફલન છે. પ્રભુ તમને ચાહતા ન હોત તો સાધનામાર્ગે તમે આવી ન શકત.

આ શિબિરમાં તમે આવ્યા કેમ… પ્રભુનો પ્રેમ તમને મળ્યો માટે, એ પ્રભુના પ્રેમ વિના સાધનાના માર્ગે એક ઇંચ, એક સેન્ટીમીટર તમે જઈ શકતા નથી. તો બહુ મજાની ધારા આપણને મળી છે, ભક્તિ અને સાધના, એને હું ભીની ભીની સાધના કહું છું. આપણી સાધના ક્યારેય પણ કોરી – લુખ્ખી નહિ પડે. એકલો સાક્ષીભાવ કોરો પડવાની શક્યતા છે, એકલો સાક્ષીભાવ હશે, પ્રભુનો પ્રેમ તમે નહિ માણેલો હોય, પ્રભુનું સમર્પણ તમારી પાસે નહિ હોય તો, એકલો સાક્ષીભાવ કોરો પડી જશે. પાછળના બારણેથી અહંકાર આવી જશે. સાક્ષીભાવની ટોચ પર હું આવી ગયો છું. સાક્ષીભાવ મળ્યાનો પણ અહંકાર આવી જશે. પણ સમર્પિતતા હશે, ત્યારે સાક્ષીભાવ પણ ભીનો ભીનો લચીલો, મજાનો થઇ જશે. તો એટલો સરસ માર્ગ પ્રભુએ બતાવ્યો છે, કે પરની બધી પીડા દૂર થઇ જાય, કોઈ પણ મહાત્મા પાસે તમે જાવ, બની શકે કે ૪ ડીગ્રી તાવમાં શરીર શેકાતું હોય, તમે પૂછો સાહેબ શાતામાં? તો શું કહે? દેવ – ગુરુ પસાય. તમે એનો ચહેરો જોવો, ચહેરા ઉપર લાગે કે જલસો છે… તમે એમ પણ સાધક છો ને… સાધકને છે ને શરીર છુટું પડી જવું જોઈએ.. “દેહ, મન, વચન, પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે… એટલે તાવ આવે તો શું કહેવાનું… શરીરને તાવ આવ્યો છે, કોને તાવ આવ્યો છે… મને તાવ આવ્યો એવું બોલો… શું બોલો… આને તાવ આવ્યો છે મને નહિ…

ધર્મધુરંધરસૂરિ મ.સા હતા, નેમિસૂરિ મ.સા. ના સમુદાયના બહુ જ જ્ઞાનીપુરુષ, સાહેબને કેન્સર થયેલું, એ યુગમાં કેન્સર માટેની આવી રેમેડી medicine પણ શોધાયેલી નહિ, સાહેબ અમદાવાદ હતા, મારે અમદાવાદ જવાનું થયું, તો સૌથી પહેલા થયું સાહેબની શાતા પૂછી આવું, સાહેબને એટલી પીડા થતી કે સાંજે ચૌવિહાર વખતે pain killer લે, ૩ – ૪ કલાક એની અસર રહે, pain killer ની અસર જાય, એટલી પીડા, એટલી પીડા એ જ સહન કરી શકતા… હું સવારે ૮ – ૮.૩૦ એ ગયેલો, સાહેબે નવકારશી પાળેલી, pain killer લઇ લીધેલી, એકદમ સ્વસ્થ… સ્વાધ્યાય કરતા હતા, હું ગયો, બેઠો, સુખશાતા પૂછી, મેં ધીરેથી કહ્યું સાહેબ! કેન્સર થઇ ગયું… મારી સામે લાલ આંખ કરે છે, મને કહે યશોવિજય! તું બોલે છે…. મને કેન્સર થયું છે, આને કેન્સર થયું છે….. હું તો આનંદઘન છું. શરીરમાં પીડા આવે તમે મજામાં હોવ, આ સાધના.

પ્રભુએ જે સાધના આપી છે ને, એને હું art of living કહું છું. જીવન જીવવાની કળા. એકવાર દિયાણા તીર્થમાં ગયેલો, ત્યાં જોધપુરથી એક પ્રોફેસર આવેલા, એ યુનીવર્સીટીમાં ભણાવતા તો હતા જ, પણ સાથે સાથે શ્રી શ્રી રવિશંકરના art of living ના પ્રચારક હતા, મારી જોડે બેઠા, art of living ની એમણે વાતો કરી. મેં કહ્યું પ્રોફેસર! શ્રી શ્રી રવિશંકરે તો હમણાં art of living ની વાત કરી. અમારા મહાવીર પ્રભુએ ૨૫૦૦ વર્ષ પહેલાં art of living ની જ વાત કરી છે.

ધર્મ એટલે કોઈ અઘરી – અઘરી બાબત, સાધના એટલે કોઈ અઘરો પદાર્થ, આવું ક્યારેય માનતા નહિ, ધર્મ, સાધના એટલે art of living. જીવન જીવવાની કળા. એટલે એ easiest છે, સરળમાં સરળ. પરમાં અનંત સમયથી વહેતા આવ્યા છો, વહેવાની practice છે, ખાલી પરમાંથી સ્વમાં આવી જાઓ, sweetest. Sweet નથી કહેતાં sweetest. સીધી superlative degree. એકદમ મીઠો.. ‘મધુરાધિપતેરખિલં મધુરમ્’ પ્રભુનું તો મધુર હોય બધું, પણ પ્રભુ જે બતાવે એ પણ મધુર હોય, તો સાધના મધુરતમ.

તમને અનુભવ થયો નથી, અમને અનુભવ થઇ ગયો છે. એ સાધનાનો અનુભવ કર્યો, સ્વની દુનિયામાં ગયા, એટલો બધો આનંદ છે, beyond the words. Beyond the imagination. શબ્દોમાં એ આનંદની વાત કરી શકાય એમ નથી. કલ્પનાને પણ પેલે પારનો એ આનંદ છે. એ આનંદ તમને ચખાડવો છે. સ્વમાં આવો ને કેટલો આનંદ આવે છે, પર છૂટી જાય, પરમાં રતિ અને અરતિ બેય છે, આપણે હમણાં જોયું, સ્વમાં માત્ર આનંદ છે. અહીં પીડાનો કોઈ સવાલ જ નથી.

તો ત્રીજી વાત કરી shortest, short cut નહિ, shortest cut. આમથી આમ આવી જાવ. આ ફોરલેન રોડ છે, બાજુમાં સીક્સલેન રોડ ઉપર આવી જાવ. તો તમારા મનમાં એક વાત આજે ઠસી ગઈ કે મન અત્યારે જે સીસ્ટમથી કામ કરે છે, એમાં પીડા બહુ છે આ વાત નક્કી થઇ…. તો એવી કોઈ સીસ્ટમ હોય કે જે સિસ્ટમમાં મન જાય, અને મનને આનંદ ને આનંદ રહે. તો એવી સીસ્ટમ આપણે કંઈ પસંદ કરીએ… એવી સીસ્ટમમાં પહેલી વાત આપણે એ જોઈ, કે આપણા મનને positive touch આપો, અત્યાર સુધી આપણે negativity માં જ રહ્યા છીએ.

અત્યારના મનોવૈજ્ઞાનિકો કહે છે કે આપણી આજુ – બાજુમાં બે energy ઓનો સંસાર છે, negative energy અને positive energy. અબજો નિરાશ લોકોએ નિરાશાના, negativity ના આંદોલનો છોડ્યા છે, અને એ આંદોલનો તમારી આજુબાજુમાં છે. અને અમારા જેવા સંતોએ છોડેલા આનંદના, positivity ના આંદોલનો પણ અહીંયા જ છે, હવે frequency જે છે એ બદલવાની છે. અત્યારે તમારા મનની ટી.વી. ની મનની રેડીયર હોય frequency એક fix થઇ ગઈ છે, કે negativity ના આંદોલનો જ પકડાય. પણ તમારી જ આજુબાજુમાં positivity ના આંદોલનો એટલા જ ભરપૂર છે, ખાલી frequency ફેરવવાની છે, volume ફેરવવું છે. અને positivity ના આંદોલનો પકડાય. તો કોણ આવું ન કરે બોલો… આપણે ૪ સ્ટેપની જે ધ્યાન સાધના કરાવીએ છીએ અને હમણાં કરાવીશું, એમાં શરૂઆતની વાત આ જ છે, કે frequency બદલો, અને frequency બદલીને છેલ્લે મહાપુરુષોએ positivity ના આંદોલનો પકડ્યા છે, એ positivity આંદોલનો છોડ્યા છે, એ positivity ના આંદોલનો પણ ઘણી frequency ના છે. સમભાવના આંદોલનો છે, ભક્તિના છે, સાક્ષીભાવના છે, બધી જાતના છે. અત્યારે આપણે સમભાવની frequency લેવી હશે, તો સમભાવની frequency ઉપર આપણા મનને આપણે સ્થિર કરી દઈશું. એટલે સીધા જ મહાપુરુષોએ છોડેલા સમભાવના આંદોલનો પકડાશે. તો કેટલું સરળ બોલો, ખાલી આમથી આમ volume ફેરવવાનો છે, frequency ફરી જાય, આ મોજાને બદલે તમે આ મોજાં લેવા મંડી પડો. તો તમે જો નક્કી કરો કે મારે આંદોલનો બદલવા છે, તો આ કામ થવાનું છે, પણ તમે અત્યારના તમારા મનની સીસ્ટમમાં adjust જો થઇ ગયા છો, તો બદલવાની કોશિશ કરવાના નથી. બરોબર સમજાઈ ગયું?

એટલે ફરીથી પૂછું, ભલે બોલશો નહિ, મોઢેથી ઈશારો કરજો, અત્યારની સીસ્ટમ તરફ તમને નારાજગી છે? કે આ તો કંઈ ચાલે? મારા હાથમાં કાંઈ જ નહિ, એક ઘટના આમ ઘટે હું એકદમ નિરાશ થઇ જાઉં? બીજી ઘટના આ રીતે ઘટે હું મૂડ ઓફ થઇ જાઉં. ઘટના ઘટવાનું કામ કરે અને મૂડ ઓફ હું થાઉં? ઘટના, ઘટના છે, હું, હું છું અને ઘટના આટલી અસર કરી જાય? તો એવી કઈ સીસ્ટમ છે કે ઘટનાઓ તો રહેવાની જ છે પણ મારો મૂડ સહેજ પણ ઓફ એક પણ ઘટના ન કરી શકે. તમે ઘટનાઓના સંસારમાં જ છો. અમારી આજુબાજુ પણ ઘટનાઓ ઘટતી હોય છે. પણ એક પણ ઘટનાની અસર અમને થતી નથી. એટલે અમે મજામાં.

ડોક્ટર કહે છે શરીરમાં આ તકલીફ થઇ, અમે કહીશું થઇ તો થઇ કંઈ વાંધો નહિ, મારા દાદા ગુરુદેવ ભદ્રસૂરિ મહારાજ ૮૫ વર્ષનું એમનું આયું, રાધનપુરમાં સાહેબજીનું ચોમાસું, લીવરનું કેન્સર detect થયું, એ વખતની સારામાં સારી દવાઓ આપવામાં આવી. પણ ડોક્ટરો નિરાશ હતા, એમણે કહ્યું અમારી પાસે pain killer સિવાય કશું જ હવે નથી. માત્ર દુઃખાવાને હળવો કરી શકીશ. બાકી રોગને સહેજ પણ અમે ઢીલો નહિ પાડી શકીએ, ડોકટરોએ કહ્યું કેટલાક દિવસોનો હવે મામલો છે, અગ્નિ સંસ્કાર માટે પ્લોટ ખરીદાઈ ગયો, ચંદનના કોથળા આવી ગયા, એ વખતે પાલનપુર નજીકમાં ત્યાં સૈયદ ડોક્ટર, ડાયોગ્નોસીસમાં બહુ નિપુણ ગણાય. તો થયું કે આપણે ઘણા બધા ડોકટરોને બોલાવ્યા, તો નજીકનો ડોક્ટર કેમ બાકી રહે, તો સૈયદ સાહેબને બોલાવ્યા, એ આવ્યા, એમણે સાહેબને જોયા, રીપોર્ટસ જોયા, એમને પણ લાગ્યું થોડા દિવસનો મામલો છે, પણ એ ડોક્ટર હતા, એમણે કહ્યું કે મ.સા. ના મુખ્ય શિષ્ય કોણ છે આપણે જરાક બહાર જઈએ અને ચર્ચા કરીએ, એને ખ્યાલ કે પેસન્ટ ની હાજરીમાં કોઈ ગંભીર વાત કરાય નહિ. હું એ વખતે ૧૪ – ૧૫ વર્ષનો… હું ત્યાં રૂમમાં એ વખતે. દાદા ગુરુદેવ ડોક્ટર ને કહે છે કે ડોક્ટર બહાર જવાની કોઈ જરૂર નથી. જે હોય એ અહીંયા કહી દો. તમારે કહેવું છે ને કેટલાક દિવસનો મામલો છે, તૈયાર છું… કાલે જવાનું હોય તો પણ તૈયાર છું. આ રોગ આવ્યો એ તો વરદાન છે વરદાન… કે મને ખબર પડી કે થોડા દિવસનું આયુષ્ય છે, કે પુરી તૈયારી કરી કાઢી છે આવતાં કલાકે જવું પડે તો ય વાંધો નહિ, અને અત્યારે જવું પડે તો ય વાંધો નહિ. ડોક્ટર આશ્ચર્યચકિત થઇ ગયા. રાધનપુરના નવાબના એ મિત્ર હતા, ત્યાંથી નીકળ્યા કે નવાબ સાહેબના ત્યાં જઈએ. ત્યાં ગયા, આપણા શ્રાવકો જોડે હતા, એ નવાબને ત્યાં જઈને  કહે; નવાબ સાહેબ હજારો પેસન્ટ જોયા, પણ આવો પેસન્ટ એક પણ ન જોયો. જે ખુમારીથી એ બોલતા હતા કે આવતાં કલાકે જવું પડે તો પણ તૈયાર છું. આ શું હતું? આ ધર્મ. આ સાધના. તો આ જ સાધનાનું આપણે practical કરવું છે. કે મન બધા જ પરમાંથી નીકળે, અને મન સ્વની અંદર પ્રવેશે. Practical સાધના શરૂ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *