Maun Dhyan Sadhana Shibir – 16 – Vachana – 2

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

વિચાર એ જ કામનો, જે નિર્વિચાર માં લઇ જાય

ચેતનાનું પરમાં જવું – તે પરિગ્રહ. ચેતના પર માં બે રીતે જાય. એક તો રાગ, દ્વેષ, અહંકાર જ્યારે ભીતર પનપે, ત્યારે મનની / ચેતનાની દશા પર તરફની થઈ જાય. અને બીજું, અનંત જન્મોના અભ્યાસના કારણે સામાન્ય કુતૂહલને વશ પણ પર માં જવાય.

આ બંને પર માં તમારી ચેતના, તમારું મન ન જાય એ માટે સાધના કરવાની છે. પહેલા મન પર નિયંત્રણ લાવવું છે : શુભ વિચારો ચાલવા દો; જે ક્ષણે મન અશુભમાં ગયું, એને રોકી લો. અને આગળ જતાં વર્તમાન ક્ષણમાં તમારે ઉદાસીનભાવે રહેવું છે, તો પછી મનનું / વિચારોનું કોઈ પ્રયોજન જ નથી.

અઠવાડિયા પછી જે વિચારની તમારા મનમાં નોંધ પણ નથી, એ વિચારે અઠવાડિયા પહેલા તમારા મનનો કબજો લઇને તમારો કેટલો બધો સમય બરબાદ કર્યો હતો – એનો તો ક્યારેક વિચાર કરો!

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *