Maun Dhyan Sadhana Shibir – 16 – Vachana – 4

6 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

સાક્ષીભાવ + ભક્તિ = નિમિત્ત

આપણે શા માટે આ જન્મમાં આવ્યા છીએ? આપણું જે મૂળભૂત સ્વરૂપ આનંદથી ભરાયેલું છે, એને મેળવવા માટે? કે પછી જે આપણા ગયા પછી થોડાક જ સમયમાં ભૂંસાઈ જશે, એવી નાનકડી identity ઊભી કરવા માટે?

સાક્ષીભાવમાં જવું એટલે નિમિત્ત બની જવું. તમારા હાથે સારું કાર્ય થાય ત્યારે જો તમે કર્તૃત્વમાં ગયા, તો અહંકારની પીડા ઊભી થશે અને સાક્ષીભાવમાં રહ્યા, તો પ્રભુએ મને આ કાર્ય માટે નિમિત્ત તરીકે પસંદ કર્યો એ વાતનો આનંદ જ આનંદ હશે!

આપણે જે પ્રૅક્ટિકલ મૅડિટેશન કરીએ છીએ એનું પણ લક્ષ્ય એ જ છે કે વિભાવશૂન્ય બનીને, વિચારશૂન્ય બનીને તમારી અંદર રહેલ આનંદની તમારે અનુભૂતિ કરવી છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *