Maun Dhyan Sadhana Shibir – 16 – Vachana – 6

56 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

भावित परमानन्द : क्वचिदपि न मनो नियोजयति

તમે સંસારમાં રહો છો અને તમારી પરિસ્થિતિને અનુરૂપ સારું ઘર, ગાડી, વસ્ત્રો વગેરે તમારી પાસે છે. પણ એ વાપરતી વખતે રાગ દશા પોષાતી નથી; ઉદાસીનદશામાં રહેવાય છે.

સંસારમાં ક્યાંય રસ નથી. અને રસ નથી એટલે હવે તમારે કંઈ કરવાનું નથી; બધું થયા કરે છે. બધાં જ પ્રયત્નો છૂટી ગયાં છે; જે કાર્ય અનિવાર્યરૂપેણ કરવું પડે – એ થઇ જાય છે.

તમે ઘટના-પ્રભાવિત ન હોવ, માત્ર પ્રભુ-પ્રભાવિત હોવ અને વર્તમાનયોગમાં હોવ, તો પછી તમારા માટે મનની કોઈ જરૂરિયાત જ નથી. મનનું conditioning જ સતત દુઃખી કરતુ હતું; પણ હવે એ મનનો ઉપયોગ કરવો નથી. સતત આનંદમાં રહેવું છે!

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *