Maun Dhyan Sadhana Shibir – 16 – Vachana – 5

7 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

સાક્ષીભાવ – રહત વિકાર સ્વરૂપ નિહારી

જે ચેતના અનંત જન્મોથી પરમાં વહી રહી છે, તેને સ્વની અંદર વહેવડાવવી – એ જ આપણું લક્ષ્ય છે. એ લક્ષ્યને પામવા માટે પહેલું ચરણ – મનને પૉઝિટિવ ટચ આપો. બીજું ચરણ – સાક્ષીભાવ.

કોઈ પણ ઘટનાથી તમે પ્રભાવિત ન બનો ત્યારે માની શકાય કે સાક્ષીભાવ તમને મળ્યો છે. ઘટનાની તમારા પર અસર ક્યારે નહિ થાય? જો ઘટના તમને માત્ર ઘટના લાગે, તો. ઘટના માત્ર ઘટના છે; એ સારી પણ નથી અને ખરાબ પણ નથી – એટલે એના માટે રાગ કે દ્વેષ કરવાનો કોઈ અર્થ નથી.

કદાચ ઘટના ઘટે ત્યારે રાગનો કે દ્વેષનો ઉદય થાય, તો પણ એને તમે માત્ર જુઓ છો. અને તમે આ રીતે માત્ર જુઓ, ત્યારે તમે પોતાને તે ઉદયથી અલગ અનુભવો છો. દ્રશ્ય અલગ; દ્રષ્ટા અલગ. આ દ્રષ્ટાભાવ એ જ સાક્ષીભાવ

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *