Namaskar Bhaav Ni Sadhna – Vachana 13

12 Views
1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

નમસ્કાર ભાવની સાધના

Subject : નિશ્ચય જાગૃતિ

શરીર સૂતેલું હોય અને સાથે તમારું મન, તમારું વ્યક્તિત્વ મોહની ઘેરી અસરમાં હોય – તે નિંદ્રાવસ્થા. દિવસે જે જોયેલું, સાંભળેલું, વિચારેલું હોય, એની tape આડી-અવળી રાત્રે ઉથલી પડે, વિકલ્પોની ભરમાર ચાલે, તે સ્વપ્નાવસ્થા. જાગૃત અવસ્થાના બે પ્રકાર પડે: વ્યવહાર જાગૃતિ અને નિશ્ચય જાગૃતિ.

અત્યારે તમે જે જાગેલા છો, તે વ્યવહાર જાગૃતિ. વ્યવહાર જાગૃતિનું મૂલ્ય તમારી સ્વપ્ન દશાથી વધારે નથી. સ્વપ્નમાં જેમ વિકલ્પો આડા-અવળા ચાલ્યા કરે છે, તેમ તમારી જાગૃતિમાં પણ વિકલ્પોની કોઈ શૃંખલા નથી; જે સામે આવી જાય, એના વિચારો ચાલ્યા કરે.

નિશ્ચય જાગૃતિ માં સ્વ અને પરનું વિભાજન બિલકુલ સ્પષ્ટ રીતે અંકિત થયેલ હોય છે. નિશ્ચય જાગૃતિ મળે, ત્યારે તમે માત્ર જોનાર હોવ છો. માત્ર જોવાનું. અને એટલે દ્રશ્ય અલગ થયું; દ્રષ્ટા અલગ થઇ ગયો. આવી નિશ્ચય જાગૃતિ સાતમા ગુણસ્થાનકે હોય અને છઠ્ઠાની ટોચ પર એની આંશિક અનુભૂતિ થાય. સાતમા ગુણસ્થાનકની આવી નિશ્ચય જાગૃતિ મેળવવી – એ જ આ જીવનનું ultimate goal.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *