Param Sparsh Ni Yatra – Vachana 22

12 Views
1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : जाग्रत्यात्मनि ते नित्यं

જીવન્મુક્ત મહાત્માઓ આત્મદશામાં સતત વિહરતા હોય છે. અને એનો આંશિક અનુભવ તમે પણ કરી શકો તેમ છો.

દ્રવ્યમાં (આત્મદ્રવ્યમાં) ભીતર ને ભીતર જવાનું. પર્યાયોને (ઘટનાઓને) માત્ર જોવાની. ઘટનાઓને માત્ર જોવાની કળા જો આવડી જાય, તો તમે જીવન્મુક્ત બની શકો.

ઘટનાને જોનાર આંખ. સાંભળનાર કાન. પણ એ ઘટનાનું interpretation કરનાર મન. જો મનને બીજે (આત્મા તરફ) વાળી દો, તો આંખથી જોવાય, કાનથી સંભળાય; પણ ઘટનાનું કોઈ interpretation ન થાય. તમે ઘટના અપ્રભાવિત બની જાઓ; જીવન્મુક્ત બની જાઓ.

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૨૨

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *