Param Sparsh Ni Yatra – Vachana 44

6 Views
1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સાક્ષીભાવ

એક વાર જો તમે સાક્ષીભાવના આનંદને માણી લેશો, તો પછી કર્તૃત્વની દુનિયામાં તમે જઈ નહિ શકો. વર્તમાનયોગ જેને મળેલો છે, તેના માટે સાક્ષીભાવ સામાન્ય ઘટના છે. બપોરના બાર વાગ્યાની ચિંતા સવારે છ વાગ્યે તમે કરો?!

કદાચ વ્યવહારના સ્તર પર તમે વિચારો, future planning કરો પણ ખરા. પરંતુ નિશ્ચયના સ્તરે વિચાર કરો કે આ બધું હું નક્કી તો કરું છું; પણ હું પોતે કેટલું રહેવાનો (જીવવાનો) એ મને ખ્યાલ નથી! તો વ્યવહારથી planning કરવા છતાં તમારું એવું attachment પર સાથે નહિ થાય.

આપણે નક્કી કરીએ કે આમ થવું જોઈએ અને એ પ્રમાણે ન થાય, તો આપણે દુઃખી થઈએ. દુઃખી કરનાર આપણી અપેક્ષા છે. અને આપણને સુખી બનાવનાર આપણો સાક્ષીભાવ. આમ થયું, તો પણ ઠીક; તેમ થયું, તો પણ ઠીક. જે પણ થઇ રહ્યું છે, તેનો સ્વીકાર.

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના –

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *