Namaskar Bhaav Ni Sadhna – Vachana 10

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

નમસ્કાર ભાવની સાધના

Subject : શિષ્યત્વ

તમે સરળ બન્યા, ઋજુ બન્યા – એટલે શિષ્યત્વ તમારી પાસે આવી ગયું. 50% કામ પૂરું થઇ ગયું. પરંતુ હજી 50% કામ બાકી છે – સદગુરુના પ્રસાદને ઝીલવાનું. તમારું સંજ્ઞાવાસિત મન તમે સદગુરુને અને પ્રભુને સોંપી દો, એટલે સદગુરુની પ્રસાદી તમે ઝીલી કહેવાય. પણ પહેલો તો પ્રશ્ન એ છે કે તમારા સંજ્ઞાવાસિત મનથી તમે થાક્યા છો?

રાગ, દ્વેષ અને અહંકાર એ conscious mind ના સ્તરે છે, unconscious mind ના સ્તરે છે. તમારા એ બંને મન તમે સદગુરુને સમર્પિત કરી દો, પછી કોઈ વિભાવ ક્યાંથી રહે! આપણે તો એ અવસ્થાએ પહોંચવું છે કે જ્યાં શબ્દો અને વિચારો પણ આપણા માટે વિભાવ હોય; રાગ દ્વેષ તો દૂરની વાત છે. શબ્દો કે વિચારોમાં પણ ન જઈ શકાય; માત્ર અનુભૂતિની ધારામાં રહેવાનું થાય.

કોઈ પણ સારામાં સારું કાર્ય હોય, જે ક્ષણે એ પૂરું થાય એ જ ક્ષણે એની સ્મૃતિને delete કરી દો. કોઈ પણ સારું કાર્ય કર્યા પછી તમે એને તરત ભૂલી શકશો – જો એ કાર્ય કરતી વખતે તમારું કર્તૃત્વ ન રહ્યું, તો.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *