Namaskar Bhaav Ni Sadhna – Vachana 12

4 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

નમસ્કાર ભાવની સાધના

Subject : જાગૃતિ

સંપૂર્ણ સમર્પિતતા એ જ receptivity. પ્રભુઆજ્ઞા પ્રત્યે સંપૂર્ણ સમર્પિતતા આવે, એટલે સતત પ્રસાદ ઊતર્યા જ કરે અને જીવન આનંદમય બની જાય. જીવનની એક-એક ક્ષણ પ્રભુદત્ત અને ગુરુદત્ત જ હોવી જોઈએ. તમારા જીવનની એક ક્ષણ પણ એવી ન હોય, જેના પર પરમાત્માના હસ્તાક્ષર ન હોય.

આજે homework માં વિચારજો કે ચોવીસ કલાકમાંથી તમારી કેટલી ક્ષણો પ્રભુદત્ત હોય છે? શરીર જો પ્રભુદત્ત એવી કોઈ ક્રિયામાં હોય, પણ મન ક્યાંક ભટકે છે, તો એ ક્ષણ પ્રભુદત્ત નથી. શરીર, મન, હૃદય, તમારું પૂરું અસ્તિત્વ પ્રભુદત્ત એવી કેટલી ક્ષણોમાં હોય?

હૃદયને નિર્મળ રાખવા માટે સતત જાગૃતિ જોઈશે. જેની પાસે ક્ષણ-ક્ષણનું પ્રભુસ્મરણ છે, તે ભક્ત અને જેની પાસે ક્ષણ-ક્ષણની જાગૃતિ છે, તે સાધક. સાધકના જીવનની એક એક ક્ષણ, એક એક ડગલું જાગૃતિપૂર્વકનું જ હોય; એવી જાગૃતિ કે જેથી રાગ, દ્વેષ, અહંકાર એક ક્ષણ માટે પણ ભીતર પ્રવેશી ન શકે.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *