Namaskar Bhaav Ni Sadhna – Vachana 5

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

નમસ્કાર ભાવની સાધના

Subject : સુહગુરુજોગો

જયવીયરાય સૂત્રમાં આપણે રોજ બોલીએ છીએ : સુહગુરૂજોગો. “પ્રભુ! સદગુરુ-યોગ તું મને આપ.” પ્રભુ સદગુરુ સાથે આપણને જોડી આપે છે અને પ્રભુ જ સદગુરુના ચરણોમાં આપણને ઝૂકાવી દે છે અને પછી સદગુરુ પ્રભુ સાથે આપણને જોડી આપે છે!

જન્માંતરીય ઋણાનુબંધ જેની પણ સાથે ખુલતો હોય, તે તમારા ગુરુ. આ જન્મમાં પહેલી વાર જે ગુરુના ચરણોમાં તમે ગયા, ઝૂક્યા અને આંખોમાંથી આંસુની ધારા વહ્યા કરે; ગુરુ પ્રત્યે અતિશય ભક્તિ તમારા હૃદયમાં પ્રગટે – એ તમારી જન્માંતરીય ધારાના ગુરુ.

તમે માત્ર પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરો અને અહમ્ જતો રહે. જોકે શબ્દોથી પ્રાર્થના કરવી સરળ છે. પણ બિલકુલ ઝૂકી જવું – “હું અસહાય છું. અશરણ છું. તું જ મને શરણ આપી શકે એમ છે.” – આ રીતે ઝૂકી જવું એ આપણા હાથની વાત નથી. પ્રભુ જ આપણને આ રીતે ઝૂકાવી શકે!

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *