Namaskar Bhaav Ni Sadhna – Vachana 7

1 View 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

નમસ્કાર ભાવની સાધના

Subject : સબમેં હૈ, ઔર સબમેં નાહિ

સદગુરુ પોતાના હૃદયને totally ખાલી કરી નાંખે અને પછી હૃદયના એ ખાલીપનમાં પરમચેતનાનું અવતરણ થાય. બસ, એમનું કામ પૂરું થઇ ગયું! એ પછી સદગુરુ માત્ર પ્રભુનું કામ કરતા હોય છે. પછી તેમનું અસ્તિત્વ માત્ર અને માત્ર પ્રભુએ આપેલ પ્રેમને વિસ્તારવા માટે હોય છે. એટલે આવા સદગુરુઓ આપણા માટે તો પ્રભુ જ છે; પરમચેતના જ છે.

સદગુરુ બધાને પ્રેમ આપશે; પણ મૂર્ચ્છા, આસક્તિ, રાગ ક્યાંય નથી. ચેતના બધામાં વ્યાપક હોવા છતાં આસક્તિરૂપે, રાગરૂપે તેમની ચેતના એક પણ વ્યક્તિત્વમાં જવા માટે તૈયાર નથી. આ જ ઉદાસીનદશા. આ જ અપરિગ્રહ.

તમે પરમાં જાઓ છો તમારી અપૂર્ણતાને દૂર કરવા. તમે કોઈકને પ્રભાવિત કરો, એ તમારી પ્રશંસા કરે, તમારો અહંકાર પુષ્ટ થાય અને તમને લાગે કે પૂર્ણતા આવી! પણ જે ક્ષણે ઉપયોગ સ્વમાં ગયો અને ખ્યાલ આવી ગયો કે હું સ્વયં સંપૂર્ણ છું – પછી તમારે બીજા કોઈની જરૂરિયાત નથી!

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *