Namaskar Bhaav Ni Sadhna – Vachana 8

1 View 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

નમસ્કાર ભાવની સાધના

Subject : નિરપેક્ષતા

સામાન્યતાયા આપણું હૃદય સાંસારિક અપેક્ષાઓથી ભરાયેલું હોય કે આ પદાર્થ, આ વ્યક્તિ વિના તો મને ચાલે જ નહિ. પણ કોઈક પુણ્ય ક્ષણે આપણા હૃદયમાં પરમ ચેતનાનો પ્રવેશ થાય છે અને આપણી અપેક્ષાઓનું કેન્દ્રબિંદુ માત્ર પ્રભુ બની જાય છે.

આ ચરણમાં ભલે ભૌતિક કામનાઓની પૂર્તિ માટે જ પ્રભુ પાસે જવાનું થતું હોય, તો પણ આ ચરણની મહત્તા એ છે કે તમારા જીવનના કેન્દ્રબિંદુ તરીકે પદાર્થો કે વ્યક્તિઓના બદલે માત્ર પ્રભુ આવી ગયા. પછીના ચરણમાં પ્રભુ એ હદે ગમવા લાગે છે કે પછી પ્રભુ સિવાય બીજું કંઈ ગમતું નથી. અને તમે પ્રભુ પાસે માંગો છો માત્ર અને માત્ર સાધનાના અગ્રીમ પડાવો.

અને આગળ જતાં તમને અનુભવ થઈ જાય છે કે પ્રભુ મારી સંપૂર્ણ કાળજી રાખી જ રહ્યા છે અને સદગુરુ ચેતના પ્રભુની આજ્ઞા મુજબ મારી સાધનાને આગળ વધારી જ રહી છે. આ અનુભવ પછીના ચરણમાં સાધના જગતના કોઈ પડાવો માટે પણ તમારે પ્રભુને કશું કહેવાનું રહેતું નથી!

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *