Namaskar Bhaav Ni Sadhna – Vachana 9

2 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

નમસ્કાર ભાવની સાધના

Subject : આત્મવિશ્રાંતિ

સામાન્ય માણસના મનનું conditioning થયેલું હોય કે અનુકૂળ, તે સારું અને પ્રતિકૂળ, તે ખરાબ. સાધકને તો પ્રતિકૂળતામાં પણ આનંદ આવે. આપણા જીવનમાં આ સૂત્ર સ્થાપિત થઇ જવું જોઈએ કે જેટલી પ્રભુની આજ્ઞા વધુ, તેટલો આનંદ વધુ. પ્રભુની આજ્ઞાથી શરીરની સુખાકારી પણ મળે, ચિત્તની પ્રસન્નતા પણ મળે પણ સૌથી મહત્ત્વનું, આત્માની નિર્મળતા મળે.

જેટલી પ્રભુમયતા વધુ; પ્રભુની આજ્ઞામાં જેટલું તમે વધુ ઊંડે ગયા, તેટલી જ પદાર્થોની અને વ્યક્તિઓ પ્રત્યેની અપેક્ષાઓ ગઈ. અપેક્ષા ગઈ એટલે પીડા પણ ગઈ. પોતે પોતાના આનંદમાં ડૂબી જવાય. પરમાં આપણી ચેતના ક્યાંય જાય નહિ, માત્ર સ્વમાં સ્થિર થયેલી હોય તે જ આત્મવિશ્રાંતિ.

જિમ ધાવ ખેલાવત બાળ. આપણે એ અવસ્થાએ પહોંચવું છે કે જ્યાં વ્યવહારના સ્તર પર ફરજોનું પાલન થયા કરે, પણ રસ માત્ર સાધનામાં હોય. ઉપરનું મન અભ્યાસને વશ પ્રવૃત્તિ કરી લે; પણ ચેતના, ઉપયોગ ભીતર ડૂબેલો હોય.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *