Namaskar Bhaav Ni Sadhna – Vachana 1

8 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પ્રભુ વીર ની સાધના

Subject : અહંકાર સામે નમસ્કાર

જ્યાં સુધી અહંકાર શિથિલ ન બને, ત્યાં સુધી સાધના સમ્યક્ રૂપે ન થઈ શકે. અહંકાર એટલે હું. અહંકાર હોય, એટલે હું ને જ્યાં ગમો, ત્યાં રાગ થાય અને હું ને જ્યાં અણગમો, ત્યાં દ્વેષ થાય.

નમસ્કાર મહામંત્રમાં નમો પહેલા આવે છે; અરિહંતાણં, સિદ્ધાણં વગેરે પાછળ આવે છે. નમો. ઝૂકી જાઓ. તમારું ઝૂકવું ઘટિત થવું જોઈએ. તમે કોના ચરણોમાં ઝૂકો છો એ મહત્વનું નથી; ઝૂકો છો કે નહિ એ મહત્વનું છે.

તમારું શરીર ઝૂકે છે. કોન્શિયસ માઈન્ડ ઝૂકે છે. તમે ઝૂક્યા? અહંકાર થોડો પણ શિથિલ બને, ત્યારે માનવાનું કે નમસ્કાર ભાવ આપણને મળ્યો છે.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *