Namaskar Bhaav Ni Sadhna – Vachana 11

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

નમસ્કાર ભાવની સાધના

Subject : નિર્મળ હૃદય

પરમાત્માનો પ્રસાદ સતત વરસી રહ્યો છે. સવાલ એ થાય કે અગણિત સમયથી આ પ્રસાદ, આ કૃપા વહેતી આવી છે; તો આપણને એનો અનુભવ કેમ નથી થયો? કારણ છે કે એને ઝીલવા માટે જે સજ્જતા જોઈએ – receptivity – એ આપણી પાસે નહતી. આ જન્મમાં પણ એ receptivity આવી છે કે નહિ – એ તમારે પોતાના સદગુરુ પાસે જઈને નક્કી કરાવવું જોઈએ.

એ receptivity એટલે પૂર્ણ સમર્પિતતા. પ્રભુની આજ્ઞારૂપી ચાદર અસ્તિત્વના સ્તર પર પૂરેપૂરી ઓઢાવી જોઈએ. અસ્તિત્વનો નાનામાં નાનો કણ પણ એ આજ્ઞાની ચાદરની બહાર ન જવો જોઈએ.

સમર્પિતતા પ્રગટ કરવા માટેનું બીજું ચરણ છે નિર્મળ હૃદય. પ્રભુએ આપેલી બધી જ સાધનાનું લક્ષ્ય છે નિર્મળ હૃદય. હૃદય નિર્મળ થવું એટલે રાગ, દ્વેષ, અહંકાર ઓછાં થવાં, તે. આટલા સમયથી સાધના કરો છો; ક્યારેક આંતરનિરીક્ષણ તો કરો કે હૃદય નિર્મળ થયું કે નહિ? રાગ, દ્વેષ, અહંકાર ઓછાં થયાં કે નહિ?

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *