Shree Navpad Shashvati Oli – Vachana 1

10 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Receptivity

અગણિત કાળથી અનંત તીર્થંકર ભગવંતોની કૃપા સતત વરસતી રહી છે. એક ક્ષણ એવી નથી, એક ક્ષણાર્ધ એવો નથી કે પ્રભુની કૃપા ન વરસતી હોય; તો પછી મારો અને તમારો મોક્ષ કેમ ન થયો?!

જો receptivity આપણી પાસે હોત, તો આપણો મોક્ષ ક્યારનો થઇ ગયો હોત. હવે આપણે બીજું કંઇ કરવાનું નથી; માત્ર પ્રભુની જે કૃપા, પ્રભુનો જે પ્રેમ વરસી રહ્યો છે એને ઝીલવાનો છે.

જે સંપૂર્ણતયા પોતાની જાત પ્રત્યે અસહાય હોય, તે જ ભક્ત બની શકે. અરિહંત પ્રભુના ચરણોમાં એક જ પ્રાર્થના કરવી છે કે પ્રભુ! જ્યાં સુધી મોક્ષ ન મળે, ત્યાં સુધી તમારા ચરણોની સેવા મને સતત મળ્યા કરો.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *