Shree Navpad Shashvati Oli – Vachana 4

12 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

અભિવ્રજ્યા અને પ્રવ્રજ્યા

પ્રભુની કૃપા અગણિત જન્મોથી વરસતી આવી છે. પણ એ અગણિત જન્મોમાં આપણી પાસે પ્રભુની એ કૃપાને ઝીલવા માટેની સજ્જતા – receptivity – નહતી. આ જન્મમાં એની જ કૃપાથી એ receptivity પણ મળી.

અભિવ્રજ્યા એટલે પરમાત્માનું, પરમાત્માની આજ્ઞાનું પરમ આકર્ષણ, પરમ સંમોહન. એવું આકર્ષણ કે પ્રભુની આજ્ઞા વિના તમે એક ક્ષણ રહી ન શકો. પ્રભુનો માર્ગ એવો પ્યારો લાગે કે સંસાર આખો છૂટી જાય અને પ્રભુના માર્ગે ચાલવાનું થાય. એ જ પ્રવ્રજ્યા.

પ્રભુ તને ચાહે છે; તારા પર પ્રેમ વરસાવે છે. એના કારણે જ તું સાધનામાર્ગે દોડી શકે, ચાલી શકે; અરે! એક ડગલું પણ સાધનામાર્ગે ભરી શકે!

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *