Param Sparsh Ni Yatra – Vachana 12

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : તમારા વિનાના અમે અમારા વિનાના

એક ક્ષણ પણ પ્રભુ વગર રહી ન શકાય. જો પ્રભુ હોય, તો જ હું હોઈ શકું; પ્રભુ વગર મારું અસ્તિત્વ ન હોઈ શકે – આવા પરમપ્રેમમાં આપણે જવું છે.

પ્રભુમિલન એટલે પ્રભુના આજ્ઞાધર્મનું મિલન. માત્ર શરીરના સ્તર પર આજ્ઞાનું પાલન એ મિલન નથી; અહોભાવપૂર્વક પ્રભુઆજ્ઞાનો સ્વીકાર એટલે આજ્ઞાધર્મનું મિલન.

જેમ જેમ આજ્ઞાનું પાલન વર્ષો, જન્મો સુધી વિસ્તરતું જાય, તેમ તેમ ગુણો વિકસતા જાય. અને પછી એ આજ્ઞા પ્રત્યેનો પ્રેમ અસ્તિત્વના સ્તર સુધી એવો જાય કે તમે પ્રભુ વિના, આજ્ઞાધર્મ વિના રહી ન શકો.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *