Param Sparsh Ni Yatra – Vachana 15

2 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : પરમ વિરહાસક્તિ

અગણિત જન્મોમાં આપણે અતૃપ્ત હતાં, પ્યાસા હતાં; પણ ખ્યાલ નહતો કે એ પ્યાસ શેની છે? અજ્ઞાનને કારણે સંપત્તિ અને પદાર્થોથી એ તરસ છીપાવવાનો પ્રયત્ન કર્યો પણ ક્યાંયથી તૃપ્તિ મળી નહિ. કારણ કે એ પ્યાસ છે પરમ ચેતનાના પરમપ્રેમની. જ્યાં સુધી એ ન મળે, આપણે અતૃપ્ત જ રહેવાના.

જે ક્ષણે પરમાત્માના પરમપ્રેમમાં તમે ડૂબ્યા, કે પછી તમારું મન પૂર્ણ-પૂર્ણ બની ગયું. પછી તમને ક્યાંય અધૂરપ દેખાતી નથી. જો ગુણસાગર જેવો પરમપ્રેમ મળી જાય, તો લગ્નની ચોરીમાં પણ કેવળજ્ઞાન થઇ શકે!

પ્રારંભિક કક્ષાએ પરમાત્માનો આંશિક આસ્વાદ મળે, એ પણ એટલો બધો મીઠો લાગે કે પછી દુનિયાની કોઈ વસ્તુ, વ્યક્તિમાં મન લાગી શકે નહિ. જો કે અલપઝલપ મિલન આપીને પછી પ્રભુ અદ્રશ્ય થઇ જાય; બાકી રહે પરમ વિરહાસક્તિ.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *