વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
પરમ સ્પર્શની યાત્રા
Subject : સકળ સામાચારીનું ધ્યેય – ધ્યાન
સદગુરુ એવો શક્તિપાત કરે કે જે ક્રોધની અંદર આવેશમાં આવીને જેમતેમ બોલી જનાર શિષ્યને પણ ઊંચકીને જ્ઞાન અને ધ્યાનની ધારામાં મૂકી દે.
સકળ સામાચારીનું ધ્યેય માત્ર ધ્યાન છે. આપણી બધી જ વ્યવહાર સાધના આખરે નિશ્ચય સાધના તરફ જ જવાની. અને તમારું તમારામાં હોવું એ જ નિશ્ચય સાધના. એ જ ધ્યાન.
આંખો બંધ કરવી કે ટટ્ટાર બેસવું એ ધ્યાન નથી. શબ્દો અને વિચારો પણ ધ્યાન નથી. ધ્યાન એટલે અનુભૂતિ; તમને થતો તમારો પોતાનો અનુભવ.
Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)