Param Sparsh Ni Yatra – Vachana 30

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : ધ્યાતા ધ્યેય ભયે દોઉં એકહું

તમારી ચેતના પરમાત્માની ચેતના સાથે એકાકાર થઇ ગઈ; પરમાત્માની ચેતના જેવી જ નિર્મલ ચેતના તમારી થઇ ગઈ તો એ ક્ષણોમાં તમે બધા જ દોષોથી મુક્ત બની ગયા. દોષમુક્તિ માટેનો કેવો મજાનો અભિગમ!

જ્યોતિર્મય એવા પરમાત્મા સાથે એકાકાર થવા માટે આપણે પોતે જ્યોતિર્મય બનવું પડશે. શબ્દ પૌદગલિક / અજ્યોતિર્મય ઘટના. વિચાર પણ અજ્યોતિર્મય ઘટના. માત્ર અનુભૂતિ એ જ જ્યોતિર્મય ઘટના છે. શબ્દો અને વિચારો જો અનુભૂતિમાં ફેરવાય, તો જ કામના; નહીંતર નકામા.

થોડી ક્ષણો માટે પણ તમે સમભાવ કે વીતરાગદશાના અનુભવમાં જાઓ અને એ ક્ષણોમાં પરમચેતના સાથે તમારી ચેતના એકાકાર થતી હોય – એ કેટલી મોટી વાત છે!

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *