Param Sparsh Ni Yatra – Vachana 31

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : પુણ્યપ્રકોપ

સદગુરુની અહેતુક કૃપા, નિષ્કારણ પ્રેમ આપણા પર વરસી રહ્યો હોય છે. આપણા તરફથી બિલકુલ સમર્પણ ન હોય અને છતાં સદગુરુનો પ્રેમ આપણા ઉપર વરસ્યા કરતો હોય છે. કારણ? એ પ્રેમાવતાર છે; પ્રેમ આપવો એ જ એમનું કર્તવ્ય છે.

સદગુરુ નો આ પ્રેમ આપણને પ્રભુના પ્રેમમાં ડુબાડી દે અને જે ક્ષણે આપણે પ્રભુના પ્રેમમાં ડૂબ્યા, આપણે દોષોથી સંપૂર્ણતયા મુક્ત થઇ જઈએ.

સદગુરુ ક્યારેય ગુસ્સે ન થાય પણ જો શિષ્ય માટે જરૂરી હોય, તો પુણ્યપ્રકોપ કરે. ગુરુના ગુસ્સાને આપણે પુણ્યપ્રકોપ કહીએ છીએ. ગુરુ ભીતરથી તો એકદમ ઠંડા જ છે પરંતુ શિષ્ય માટે ગુસ્સો જરૂરી છે, તો એનો ઉપયોગ કરી લે છે. અને એ પણ એમનો પ્રેમ જ છે.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *