Param Sparsh Ni Yatra – Vachana 41

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : સ્તબ્ધતા. હર્ષાશ્રુ. આનંદ.

પરમાત્માનો પરમપ્રેમ પહેલી વાર જે ક્ષણે ઝીલાય, તે ક્ષણે ભક્તની ભાવદશા કેવી હોય? ભક્ત પહેલા સ્તબ્ધ થાય છે; એ સ્તબ્ધતા આંસુઓમાં વિખેરાય છે અને પછી આનંદનો એક સ્થાયી ભાવ મળે છે.

કોઈ આશ્ચર્યસભર ઘટના બને અને conscious mind બાજુમાં ખસી જાય, ત્યારે સ્તબ્ધતાનો અનુભવ થાય. સ્તબ્ધતાની ક્ષણો બહુ જ મજાની. ત્યાં conscious mind નથી અને તમે પોતે પરમાત્માના પ્રેમને અનુભવી રહ્યા છો.

પછી એ સ્તબ્ધતા તૂટીને conscious mind પાછું આવી જાય, તો પણ વાંધો નથી. કારણ? એક વખત અસ્તિત્વના સ્તરે પ્રભુનો પ્રેમ અનુભવાઈ ગયો, પછી conscious mind ના સ્તરથી તમે બહારનું કામ કરશો અને તમારું ભીતરી મન (જેને આપણે ઉપયોગ કહીએ) ભીતર જ રહેશે.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *