Param Sparsh Ni Yatra – Vachana 16

2 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : ખણં જાણાહિ પંડિએ

સુલસાજી જેવા પ્રભુ પ્રત્યેના પરમપ્રેમથી દર્શનમોહનીયનો ક્ષયોપશમ મળે; પ્રભુની એક-એક આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર ભીતર છલકાય. એ આદર જ પૌષધમાં ખેસનું પડિલેહણ કરવા જેવી નાનકડી ક્રિયાને પણ પ્રીતિ-અનુષ્ઠાન બનાવીને અપૂર્વ નિર્જરા પ્રાપ્ત કરાવે.

આપણું આ આખું જીવન પ્રભુના ઋણમાંથી મુક્ત થવા માટેનો એક નાનકડો આયાસ બની રહેવું જોઈએ. પ્રભુએ આપણને જે આપ્યું છે અને અત્યારે પણ ક્ષણે-ક્ષણે પ્રભુ જે આપી રહ્યા છે, એના બદલામાં આપણે પ્રભુને શું આપી શકીએ?

આપણે પ્રભુના ચરણોમાં શુદ્ધ ક્ષણો ધરવી છે; એવી ક્ષણો કે જે રાગ, દ્વેષ, અહંકાર, ઈર્ષાથી મુક્ત હોય. આમ પણ પ્રભુના પરમપ્રેમમાં હોય એને બીજે ક્યાંય રાગ ક્યાંથી હોય?! અને રાગ ન હોય, તો દ્વેષ કે અહંકાર કે ઈર્ષા પણ ક્યાંથી!

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *