Param Sparsh Ni Yatra – Vachana 26

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : આયઓ ગુરુ બહુમાણો

પ્રભુની કે સદગુરૂની મોટામાં મોટી સેવા કઈ? એમની આજ્ઞાનું પાલન. પ્રભુની નિશ્ચયઆજ્ઞા એ છે કે “તું તારા સ્વરૂપમાં સ્થિર થા”. સ્વગુણનો અનુભવ કરવો અથવા સ્વરૂપનો અનુભવ કરવો – એ જ પ્રભુની નિશ્ચયઆજ્ઞાનું પાલન.

પ્રભુએ કહેલી એક પણ વ્યવહાર સાધના એવી નથી કે જે નિશ્ચયમાં પર્યવસિત (સમાપ્ત) ન થતી હોય. સામાયિકથી પોતાની ભીતર રહેલો સમભાવનો ગુણ અનુભવાય. પ્રભુદર્શનથી પોતાની ભીતર રહેલા પ્રશમરસ / વીતરાગદશા નો અનુભવ થાય.

ખમાસમણની ક્રિયાથી પ્રભુ / ગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ આવે. એ બહુમાન પ્રભુ / ગુરુના ગુણો પ્રત્યેના બહુમાનમાં ફેરવાય. આ બહુમાન આપણી ભીતર રહેલા તે-તે ગુણોની અનુભૂતિમાં લઇ જાય.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *