Param Sparsh Ni Yatra – Vachana 36

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : પાડોશીની આગમાં, આપણો અળગો દેહ

તમારું સ્વરૂપ શું છે – તે વિશેનું તમારું અજ્ઞાન એ જ મોહ. મૂંઝવણને કારણે તમે શરીરને હું માની લો છો; વાસ્તવિક હું સુધી પહોંચતા નથી. આ મોહને ખતમ (કે શિથિલ પણ) કરી શકે, માત્ર આત્માનુભૂતિ.

જ્યાં આત્મતત્ત્વની અનુભૂતિ આવી; વાસ્તવિક, આનંદઘન હું નો અનુભવ થયો; મોહ ગયો. એવી આત્માનુભૂતિ માટે શું કરવું? જોનાર ને છૂટો પાડવો છે. હું જોનાર છું – આ પ્રતીતિને એકદમ સબળ બનાવવી છે.

તિત્થયરા મે પસીયંતુ. પ્રશ્ન થાય કે વીતરાગ એવા પ્રભુ પ્રસન્ન કેવી રીતે થાય?! પરંતુ, પરમ ચેતના નિષ્ક્રિય હોવાની વાત માત્ર છેલ્લાં સો-દોઢસો વર્ષોથી આપણે ત્યાં ચાલી છે; હકીકતમાં તો પરમ ચેતના પરમ સક્રિય છે. જે ક્ષણે તમે અસહાય બન્યા અને બધું જ એને સોંપી દીધું, તે જ ક્ષણથી એની કૃપા ઝીલાવા લાગે છે!

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *