Param Sparsh Ni Yatra – Vachana 37

2 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : આગમ રીતે નાથ! ન નીરખું નિજપણું

પ્રભુના પરમપ્રેમની અનુભૂતિ થાય પછી પ્રભુની એક-એક આજ્ઞા તમને પ્રાણથી પણ પ્યારી લાગે અને એ આજ્ઞાની અનુભૂતિ થાય, એટલે આત્માનુભૂતિ મળી જાય. કારણ? પ્રભુની નિશ્ચય આજ્ઞા એક જ છે: તું તારા સ્વરૂપમાં સ્થિર થા.

આપણું life mission શું? રીઝવવો એક સાંઈ. દુનિયાને, સમાજને રીઝવવા નથી; માત્ર પ્રભુને રીઝવવા છે. પ્રભુને એક વાર રીઝવ્યા પછી રીઝ્યો સાહિબ સંગ ન પરિહરે, ભાંગે સાદિ અનંત.

પ્રભુના પરમપ્રેમમાં જે ક્ષણે તમે ડૂબી ગયા, પછી બાકીની દુનિયા તમારા માટે નથી. જે ક્ષણે દ્રષ્ટાનો રસ દ્રશ્ય જગતમાંથી ચૂકાઈ ગયો, પછી એના માટે દ્રશ્ય જગત જેવું કંઈ રહેતું નથી.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *