Param Sparsh Ni Yatra – Vachana 40

2 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : જન્મોના ખંડો પર તરતી સાધના

જો સાધના માત્ર conscious mind ના સ્તરે હશે, તો બીજા જન્મમાં એ સાધના સાથે નહિ આવે. પરંતુ અસ્તિત્વના સ્તરની સાધના બીજા જન્મમાં પણ સાથે આવશે; એનું repetition આવતા જન્મમાં કરવું નહિ પડે.

સમભાવની જો થોડી પણ અનુભૂતિ થઇ હશે, તો નિમિત્તોની અસર તમારા પર ઓછી થશે. અને જે ક્ષણે તમને લાગે કે નિમિત્તોની કોઈ જ અસર થતી નથી, ત્યારે માનવાનું કે સમભાવ તમારા અસ્તિત્વના સ્તરે પહોંચી ગયો છે.

પ્રભુરૂપી મા ના બાળક બનવાની સજ્જતા શું? આપણી દ્રષ્ટિ ચોવીસ કલાક પ્રભુ તરફ હોય; સતત આપણી નજર સામે પ્રભુની આજ્ઞા તરવરતી હોય. પ્રભુના આવા બાળક બન્યા પછી આપણે કશું જ કરવાનું નથી; માત્ર પ્રભુને કહી દેવાનું કે “મોક્ષ આપ” અને એ આપી દે!

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *