Param Sparsh Ni Yatra – Vachana 43

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પરમ સ્પર્શની યાત્રા

Subject : પંથ એનો ઝીણો

પ્રભુએ કહેલી એક પણ વ્યવહાર સાધના એવી નથી કે જે તમને નિશ્ચય સાધના સાથે ન જોડી આપે. નિશ્ચય સાધના શું? રાગ, દ્વેષ, અહંકારની શિથિલતા અને એ રીતે સ્વના અનુભવ તરફ જવાની યાત્રાનો પ્રારંભ.

તમારી વ્યવહાર સાધના નિશ્ચય સાધના તરફ જાય છે કે નહિ એ તમારે જોવું જોઈએ. તપશ્ચર્યા કરી; બહુ સરસ. પણ આસક્તિ થોડી પણ તૂટી ખરી? પ્રતિક્રમણ કરો અને પાપો પ્રત્યે ડંખ પ્રગટે છે? સામાયિક કરો અને સમભાવ તમારો પ્રગાઢ બને છે?

પ્રભુની સાધના: સાક્ષીભાવ + સમર્પણ. જો સાક્ષીભાવની સાથે સમર્પણ આવે, તો એ સમર્પણ સાચું. સાક્ષીભાવમાં તમારો હું એકદમ શિથિલ બને; તમારો અહંકાર ઓગળે. એ પછી જે સમર્પણ મળે, તે વાસ્તવિક હશે.

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ (સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *