Prabhu Veer Ni Sadhna – Vachana 03

3 Views 1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

પ્રભુ વીર ની સાધના

Subject : ધ્યાનની તારી રે, લાગી નેહશું

પરમના સંગ થકી અસંગ દશામાં જવું છે. પ્રભુની મુખમુદ્રા પરની વીતરાગદશા જોઈ. પછી પ્રભુના શબ્દો યાદ આવે કે “તું પણ મારા જેવો જ છું.” અને આપણી ભીતરની એ વીતરાગદશાની અનુભૂતિ આંશિકરૂપે પ્રગટ થાય.

આલંબન ધ્યાનમાં પરમાત્માનાં પ્યારાં-પ્યારાં શબ્દો કે પરમાત્માનું રૂપ તમારી સામે છે અને તમે ભીતર ઊતરો છો. એ આલંબન ઘૂંટાઈ જાય એટલે અનાલંબન આવે; પછી તમે સહજરૂપે બેઠા હોવ અને સીધા ભીતર ઊતરી જાઓ.

આલંબનને ઘૂંટીને આખરે અનાલંબનમાં જ જવાનું છે. વર્ષોથી પરમાત્માની ભક્તિધારાનું આલંબન આપણી પાસે છે; તમે એમાંથી અનાલંબનમાં ગયા?

Place : ૐકારસૂરિ આરાધના ભવન – વેસુ(સુરત)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *