Maun Dhyan Sadhana Shibir – 14 – Samvedana 3

5 Views 1 Min Read

તું ગત મેરી જાને
( રચયિતા: ઉપા. અમૃતવિજયજી )

પ્રભુ! તું તો સર્વજ્ઞ અને સર્વસમર્થ. અનંત કાળથી તારા વિના હું જે પીડા ભોગવી રહ્યો છું, એનો તને ખ્યાલ છે જ. તો પણ તું મને આ પીડામાંથી ઊંચકીને તારા તરફ કેમ લઈ જતો નથી?

હું માત્ર સૈદ્ધાંતિક રૂપે સમજું છું કે મન સંસારને આપવું – એ જ દુઃખ અને મન તારી આજ્ઞાને સમર્પિત કરવું – એ જ સુખ. પરંતુ અનાદિની સંજ્ઞાને વશ હું તારી આજ્ઞાને સમર્પિત રહી શકતો નથી.

તું મને સમ્યગ્દર્શન આપી દે ને! સમ્યગ્દર્શન મને રાગ-દ્વેષ ના બદલે તારી તરફ લાવી દેશે. પછી મારી કોઈ પીડા નહીં રહે; અને હું તારી પાસે કોઈ ફરિયાદ કરવા નહિ આવું!

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *