Maun Dhyan Sadhana Shibir 12 – Vanchan 10

1 View
40 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : જિનગુણ દર્શન

પ્રભુનું દર્શન ગુણાત્મક લયમાં કરવું છે અને એ જિનગુણ-દર્શન એવી રીતે કરવું છે કે એનાથી જિનગુણ-સ્પર્શન થાય અને એ જિનગુણ-સ્પર્શન દ્વારા નિજગુણની સ્પર્શના આપણે કરી શકીએ. એ માટેની બે શરતો છે: એક, દર્શન સમયે મન વિચારમુક્ત હોવું જોઈએ અને બીજું, મન અહોભાવથી પૂર્ણ હોવું જોઈએ.

અહોભાવ તો આપણને પરંપરા દ્વારા ગળથુથીમાંથી મળેલો છે. પ્રભુને જોતા એવો અહોભાવ કદાચ ક્યારેક આવેલો પણ ખરો. પણ, મનમાં વિચારો ચાલ્યા જ કરતા હતા એટલે એ અહોભાવ પણ સ્થાયીભાવના રૂપમાં ન આવી શક્યો. અહોભાવની ધારા સ્થાયીરૂપે ચાલે, એના માટે નિર્વિચારતાની પૃષ્ઠભૂ અત્યંત જરૂરી છે.

શાંત ચિત્તે પ્રભુ સામે બેસો. કોઈ જ વિચાર ન હોય, તમે માત્ર પ્રભુને જોતા હોવ. કોઈ જ અવધારણા નહિ, કોઈ કલ્પના નહિ, કોઈ વિચાર નહિ. માત્ર પ્રભુના મુખને જુઓ. તમને feel થશે ભીતર કંઈક કંઈક સળવળાટ ચાલુ થઇ ગયો છે. કારણ? ચૈતન્યથી સભર છે ભગવાન. તમે પ્રભુ સામે નિર્વિચાર થઈને અહોભાવપૂર્વક બેસો અને એ ચૈતન્યનો સ્પર્શ થાય જ.

મૌન ધ્યાન સાધના શિબિર ૧૨ – શંખેશ્વર વાચના૧૦

દેવાધિદેવ શંખેશ્વર પ્રભુનું દર્શન ગુણાત્મક લયમાં કરવું છે અને એ જિનગુણ-દર્શન એવી રીતે કરવું છે, કે જિનગુણ સ્પર્શન થાય, અને એ જિનગુણ સ્પર્શન દ્વારા નિજગુણની સ્પર્શના આપણે કરી શકીએ. જિનગુણ-દર્શન સ્વાનુભૂતિના સૂર્યોદયના પાંચ ચરણો પૈકીનું પહેલું ચરણ. જિનગુણ-દર્શન કરવા માટે બે શરતો છે. એક તો એ વખતે મન વિચાર મુક્ત હોવું જોઈએ. અને બીજી વાત મન અહોભાવથી પૂર્ણ હોવું જોઈએ.

લલિત વિસ્તરામાં ભગવાન હરીભદ્રસૂરિએ ચૈત્યવંદન માટે બેઠેલ એક સાધકનું મજાનું વર્ણન આપ્યું છે. ‘भुवनगुरौ विनिवेशितनयनमानस’ માત્ર પરમાત્માની તરફ જેની આંખો જ નહિ, જેનું મન પણ સ્થિર થઇ ગયું છે. એવો સાધક હોય. અત્યાર સુધીમાં આપણે નિષ્ફળ ક્યાં ગયા, અહોભાવ ક્યારેક આવેલો પણ ખરો, કદાચ. પણ મનમાં વિચારો ચાલ્યા જ કરતાં હતા. એટલે અહોભાવ પણ સ્થાયીભાવના રૂપમાં ન આવી શક્યો. એટલે આપણે બે કામ કરવા પડશે. અહોભાવ તો કદાચ આપણને આપણી પરંપરા દ્વારા મળી જશે. એ ગળથુંથીમાં સંસ્કાર છે. મારા ભગવાન, મારા તારણહાર, સાચું કહેજો, નમુત્થુણં બોલો, તિન્નાણં તારયાણં. સામાન્ય અર્થ ખ્યાલમાં છે, તિન્નાણં એટલે તરી ગયેલા ભગવાન, ભવસાગરને. તારયાણં એટલે મને તારનારા. બોલો, તારયાણં બોલો ત્યારે તમે રીતસર ઉછળો નહિ હવામાં…?! ઓહો! ભગવાન મને તારનારા છે. મારે ક્યાં કંઈ કરવાનું છે? અને એટલે જ સ્તવનાકારે કહ્યું, “મુજ સરીખા મેવાસી ને, પ્રભુ જો તું તારે;તારક તો જાણું ખરો, જુટ્ઠું બિરુદ શું ધારે?” ભગવાન તે સુલસાજીને તાર્યા, તરે એવા જ હતા. રેવતીજીને તે તાર્યા, તરે એવા હતા, મારા જેવા પત્થરને તું તાર, તો હું માનું કે ખરેખર તું તારક છે. નહીતર તારું તારક તરીકેનું વિશેષણ આજે ભયમાં છે. યા તો મને તારી દે, નહીતર તું તારક તરીકે શી રીતે બેસી શકીશ?!

સુરદાસજી એકવાર મંદિરમાં ગયેલા, એક ભક્ત પ્રભુની પ્રાર્થના કરે છે, પ્રભુને કહે છે, પતિત પાવન, એ ભક્ત તો ગયો પ્રાર્થના કરીને, સુરદાસજી એ પછી ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. એ કહે છે પ્રભુ પતિતોમાં અગ્રણી તો હું છું. તે કયા પતિતને તાર્યો? અને તું પાવન થઇ ગયો! સુરદાસજી ના શબ્દો છે, ‘મેં પતિતન મેં ટીકો’ પતિતોની દુનિયામાં અગ્રણી તો હું છું, પ્રભુ તું મને તાર. પછી પતિત પાવન તરીકેનું વિશેષણ લઇ લે.

તો અહોભાવ no doubt તમને આવી જશે. પણ અહોભાવ પણ સ્થાયી રૂપે રહી શકશે શી રીતે? દસ મિનિટ-પંદર મિનિટ-વીસ મિનિટ કે કલાક સુધી તમે દેરાસરમાં રહ્યા, સતત અહોભાવની ધારા ચાલે એના માટે નીર્વિચારતાની પૃષ્ટ ભૂ જરૂરી છે. વિચાર જ કોઈ નથી. તમે માત્ર પ્રભુને જોઈ રહ્યા છો. તમે કાશ્મીર પહેલીવાર જાવ ને, નળ સરોવરને જુઓ, નૈનીતાલમાં જાવ, અને એકદમ હિમાલયની મજાની ગિરિમાળાને જુઓ, સવારનો પહોર હોય, સૂર્યકિરણો આડાને અવળા પડતાં હોય, ક્ષણે-ક્ષણે એની શોભા વધતી જતી હોય. અને એ જોઇને સ્તબ્ધ થઇ જાવ છો. અવાક્…! તમે એ વખતે બોલી શકતા નથી, વિચારી શકતા નથી. આવું જ પ્રભુને જોતા થવું જોઈએ. આટલું અદ્ભુત રૂપ…! આ પ્રશમરસ…! માનતુંગાચાર્યએ પ્રભુના પ્રશમરસ માટે ભક્તામરમાં કહ્યું, ‘યૈ: શાન્તરાગ રુચિભિ: પરમાણુભિસ્ત્વં, નિર્માપિતસ્ત્રિભુવનૈકલલામભૂત:’ પ્રભુ જે શાંત રસના પરમાણુઓથી તારો આ દેહ બનેલો છે, મને લાગે છે કે દુનિયાની અંદર શાંતરસના પરમાણુઓ આટલા જ છે. નહીતર તારા જેવું બીજું કોઈ રૂપ મને જોવા મળત ને? મને લાગે છે કે શાંત રસના પરમાણુઓ આટલા જ છે. જે તારા દેહમા આવીને સમાઈ ગયા છે. આવી રીતે પ્રભુને જોવો તો શું થાય..? તમે નિર્વિચાર બની જ જાવ.

આપણી પરંપરાએ અને બીજી ઘણી બધી પરંપરાઓએ સાધકને નિર્વિચાર બનાવવા માટે ઘણી બધી ટેકનીક્સ અજમાવી છે. એક ઝેન કથા છે, ગુરુ પોતાની ચેમ્બરમાં પાટ પર બેઠેલા. શિષ્ય આવે છે. ઝેન પંથના ગુરુ છે એટલે કે બૌદ્ધ ગુરુ છે. શિષ્ય આવ્યો, શિષ્યએ વંદના કરી અને પૂછ્યું કે ગુરુદેવ! ભગવાન બુદ્ધના ચહેરા ઉપર કેવો પ્રશમરસ હશે? કેવી શાંતિ હશે? ગુરુ એ વખતે એ શિષ્યના ચહેરાને જોવે છે, અને શિષ્યના ચહેરાને જોતા લાગ્યું, કે માત્ર કુતુહલના સ્તર પર, જિજ્ઞાસાના સ્તર પર આ પ્રશ્ન પુછાયેલો છે.

એક વાત તમને કહું, જે પ્રશ્ન તમારો મુમુક્ષાના સ્તરનો ન હોય, તમારી અંદરની વેદનાથી વલોવાઈને ન આવેલો હોય, એ પ્રશ્નનો જવાબ આપવામાં કોઈ પણ ગુરુને આનંદ ન આવે. આપવો પડે તો આપી પણ દે. પણ સદ્ગુરુને મજા ક્યારે આવે…? તમારો એ પ્રશ્ન તમારી વેદનામાંથી વલોવાઈને આવેલો હોય. ગુરુદેવ મને ક્યારે મળશે સ્વાનુભૂતિ? આંખમાં આંસુ છે, ગળે ડૂસકાં છે, ગુરુદેવ ૫૦-૬૦-૬૫ વર્ષ થઇ ગયા, જીવનનો કિનારો સામે દેખાઈ રહ્યો છે, શું હું સ્વાનુભૂતિ વિના જતો રહીશ…?! તમારા પ્રશ્નમાં વેદના હોય, બરોબર નીચોવાયેલી, તો જ સદ્ગુરુને જવાબ આપવાની મજા આવે છે.

મેં કીધું ઘણીવાર જોજો મજા આવે, કોઈ મોટી સભા હોય ને, એમાં એક જણ પ્રશ્ન કરે, પણ એ પ્રશ્ન કર્યા પછી ગુરની સામે નથી જોતો, આજુ-બાજુવાળાની સામે જોવે છે. એટલા માટે કે મેં પ્રશ્ન એકદમ બૌદ્ધિક કર્યો છે. એની અસર લોકો ઉપર કેવી પડે! ભાઈ તારા બૌદ્ધિક સ્તરના પ્રશ્નનું ગુરુ પાસે કચરા જેટલું પણ મૂલ્ય નથી. ગુરુ તો બુદ્ધિને ઉડાવનારા માણસ છે. ગુરુ તારી બૌદ્ધિકતાથી પ્રભાવિત થવાના છે?! ગુરુને જોઈએ છે તારા હૃદયની નિર્મળતા. કોઈ પણ ગુરુ પાસે બૌદ્ધિકતા લઈને જતા નહિ. બૌદ્ધિકતાનો ભાર બહાર મૂકી દેજો.

 હું ઘણીવાર કહું છું, હું ગમે એટલો પ્રબુદ્ધ માણસ હોઉં, શાસ્ત્રોનો નિષ્ણાંત છું, પણ હું કાચા રસ્તે ચાલતો હોઉં, બે માર્ગ આવે, મારી બુદ્ધિ અહીંયા કામ નહિ આવે કે હું left જાઉં કે right જાઉં…? મારું ગામ મને ક્યાં મળશે? મારે બાજુમાં ખેતરમાં હળ હાંકતા ખેડૂતને પૂછવું પડે કે ભાઈ મારે આ ગામ જવું છે. Right જાઉં કે left જાઉં? એ કહે મહારાજ જમણા હાથ ચાલ્યા જાવ, તમારું ગામ આવી જશે. તો મારા કરતાં એને એ માર્ગનો અભ્યાસ વધારે છે. એમ તમારી બુદ્ધિ ગમે એટલી હોય, સાધનામાર્ગમાં તમે બિલકુલ અનભ્યસ્ત માણસો છો. એટલે સાધનામાર્ગમાં તો ગુરુ જ તમારી આંખ હોઈ શકે. આપણે ત્યાં કહ્યું, શાસ્ત્ર આંખ હોય, અને ગુરુ આંખ હોય. ‘સાધવ: શાસ્ત્ર ચક્ષુષ:’ જે ગુરુ સુપ્રીમ છે, ઉંચી કક્ષાએ પહોંચેલા છે, એમના માટે શાસ્ત્ર ગુરુ છે. શાસ્ત્રમાં જોઈ-જોઇને એ આગળ વધે છે પણ શિષ્યો માટે તો ગુરુ એ જ શાસ્ત્ર છે.

એટલે આપણે ત્યાં બે પરંપરા આવી. એક જીવંત સદ્ગુરુની પરંપરા, એક ગ્રંથ ગુરુની પરંપરા. તમે તમારી સાધના બે રીતે લઇ શકો છો, જીવંત સદ્ગુરુ દ્વારા પણ, ગ્રંથ સદ્ગુરુ દ્વારા પણ. મારા માટે એવું બન્યું, ૨૫-૨૭ વર્ષની વય સુધી હું કોરો બૌદ્ધિક માણસ. પૂર્વનું પશ્ચિમનું ઢગલાબંધ વાંચ્યા કરતો, પણ વાંચીને માત્ર મારા અહંકારને જ પુષ્ટ કરનારો હતો. ગુરુદેવને કરુણા આવી. મને એકવાર બોલાવ્યો, મને કહે અહીં આવ, મને કહે તારા ટેબલ ઉપર પુસ્તકોનો ખડકલો પડેલો હોય છે, આટલું બધું તું વાંચે છે, હરીભદ્રાચાર્યને તે વાંચ્યા? મેં કહ્યું, ગુરુદેવ! બસ હવે મારે એમને જ લેવાના છે. મને કહે, બસ તું હરીભદ્રાચાર્યને જ વાંચ. મેં પૂછ્યું, પહેલા કયો ગ્રંથ વાંચું એમનો? તો મને કહે યોગબિંદુ વાંચ. મેં કહ્યું, ok, તહત્તિ.

Actually હરીભદ્રાચાર્યના યોગગ્રંથોનો વાંચવાનો ક્રમ અલગ છે. પહેલા યોગશતક, પછી યોગવિંશિકા, પછી યોગદ્રષ્ટિ, પછી યોગબિંદુ આવે. પણ ગુરુદેવે સૌથી પહેલા મને યોગબિંદુ આપ્યું. મને એવો ક્રમનો તો ખ્યાલ હતો. પણ સદ્ગુરુ આપે તે જ્ઞાન. મેં યોગબિંદુ શરૂ કર્યું. છેડે જતાં મને ખબર પડી, કે સદ્ગુરુની કરામત શું હતી? છેડે એક શ્લોક આવ્યો યોગબિંદુમાં, ‘વિદુષામ્ શાસ્ત્ર સંસાર:, સદ્યોગરહિતાત્મનામ્’ સામાન્ય માણસો માટે પદાર્થોનો સંસાર હોય છે. કહેવાતાં વિદ્વાનો માટે ગ્રંથોનો સંસાર હોય છે. એમનો જો યોગનો ચક્ષુ ન ખુલ્યું, તો એ વિદ્વાનો માટે પણ ગ્રંથો એ સંસાર છે. સંસારથી વધુ કાંઈ નથી. કારણ સામાન્ય માણસ. પદાર્થોના સંસારથી અહંકારને વધારે મારી પાસે આટલું છે, આવો બંગલો, આવી કાર. તો તથાકથિત વિદ્વાન પણ શું કરે, આટલા ગ્રંથોને મેં વાંચ્યા, આટલું ભણેલો છું અહંકારને વધારે. તો ગ્રંથોનો પણ સંસાર કીધો. હું ચમકી ગયો. મને થયું કે વાહ! આ તો personally for me આવ્યું. હું સેંકડો હજારો ગ્રંથો વાંચ્યા કરું છું. યોગનું ચક્ષુ તો મારું ખુલ્યું જ નથી. ભીતરની આંખો મારી બંધ છે. માત્ર બૌદ્ધિકતાના સ્તર ઉપર પુસ્તકોને વાંચું છું. અને અહંકારને પુષ્ટ કરું છું. એ જ ક્ષણે નક્કી કર્યું કે હરીભદ્રાચાર્ય એ મારી બુદ્ધિનું ઓપરેશન કરી નાંખ્યું. મારા અહંકારને ઉડાડી દીધો. ઓપરેશનરાઈટ. તમને ખ્યાલ છે, વિદેશમાં, યુરોપમાં, અને અમેરિકામાં IQની મહત્તા છે. બુદ્ધિ આંક કેટલો છે તમારો? આપણે ત્યાં પૂર્વમાં IQ નથી, AQ છે. A for awareness. તમે કેટલું જાગ્યા, કેટલું પામ્યા, what’s your achievements? તો હરીભદ્રાચાર્ય પહેલા મારા ગ્રંથ ગુરુ બન્યા, અને પછી દેવચંદ્રજી મહારાજ બન્યા. કલાપૂર્ણસૂરિ મ.સા. એ પણ છેલ્લે મને કહેલું, કે બીજું કંઈ વાંચે કે ન વાંચે, દેવચંદ્રજીને બરોબર ઘૂંટી લેજે. એક દેવચંદ્રજી એટલે જિનશાસનનું પૂરું હાર્દ. આપણે જે ચરણો લઈએ છીએ ને એ બધા  ચરણો દેવચંદ્રજી મહારાજના સ્તવનમાંથી નિષ્પન્ન થયેલા છે.

તો પેલા શિષ્યે ગુરુને પૂછ્યું, બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર શાંતિ કેવી હશે? ગુરુએ જોયું, કે સાલો મને પ્રભાવિત કરવા આવ્યો છે, ગુરુને જાણે પ્રભાવિત કરી આવું. આવો સરસ પ્રશ્ન પૂછું ને ગુરુને પણ એમ થાય કે વાહ! આ તો બહુ વિચારક માણસ છે. પણ આ તો ગુરુ હતા. ખરેખર ગુરુ હતા, એ જોઈ ગયા. કે આ મુમુક્ષાના સ્તરનો પ્રશ્ન નથી. એની વેદનામાંથી ઘોળાઈને આવેલો પ્રશ્ન નથી. ખાલી બૌદ્ધિકતાના સ્તરનો પ્રશ્ન છે. શું કર્યું ગુરુએ… બહુ મજાની ઘટના છે, પાટ પર બેઠેલા આ રીતે, પાછળ એક બારી હતી સળિયા વગરની, શિષ્યને બોચીથી પકડ્યો, સીધો નીચે ફેંક્યો. નીચે છ-સાત ફૂટ નીચે તળિયું આવી જતું હતું જમીનનું… રેત પુષ્કળ હતી, બહુ વાગે એવું હતું નહિ, શિષ્ય ધડાક કરતો પટકાયો. હવે એકદમ અણકલ્પેલી ઘટના થઇ ને આ તો? અપ્રત્યાસિત ઘટના. વિચાર પણ ન કરેલો હોય. ગુરુને પૂછવા જઈએ, ગુરુ જવાબ આપે પણ ખરા, ન પણ આપે. પણ ગુરુ ફેંકે એ તો સવાલ જ ના હોય ને…! એકદમ આશ્ચર્યચકિત થઇ ગયો. એક ક્ષણમાં conscious mind જે છે ને એ બહાર જતું રહ્યું.

તમે છે ને એક ક્ષણમાં વિચાર નથી કરી શકતા. એકદમ અણકલ્પેલી ઘટના ઘટી જાય. તમે જોજો. એક્સીડન્ટ એકદમ થઇ જાય, થોડી સેકંડ તમને ખ્યાલ નહિ હોય તમારે શું કરવું જોઈએ. શું થાય છે એ વખતે conscious mind dead થઇ જાય છે થોડી વાર માટે, ફ્રીજ થઇ જાય છે. તો ગુરુને આ કામ કરવું હતું. એને વૈચારિક સ્તરમાંથી મુક્તિ આપવી હતી. પેલો પટકાણો. જોશથી પટકાયો. વાગ્યું નથી વધારે. આંચકો લાગ્યો. વિસ્મય, આશ્ચર્ય, ગુરુ આવું કરે…! એ વિસ્મયને કારણે conscious mind બાજુમાં ખસી ગયું. જેમ મેં કહ્યું ને કે કાશ્મીર ગયા, નૈનીતાલ ગયા, અદ્ભુત દ્રશ્યો જોયા, વિસ્મય થયું, ઓહ! આટલું સરસ…! આ આટલું સરસ આવ્યું ને એ વખતે conscious mind બાજુમાં જતું રહે છે. આ જ પ્રયોગ કર્યો ગુરુએ, conscious mindબાજુમાં ગયું, એ વખતે ગુરુ ઉભા થયા પાટ પરથી, બારીમાંથી ડોક્યું કર્યું, પેલો તો ચત્તો પાટ સૂતેલો છે હજી. ગુરુએ બારીમાંથી ડોક્યું કર્યું. અને પૂછ્યું બેટા! હવે ખ્યાલ આવે છે, કે ભગવાન બુદ્ધના ચહેરા ઉપર કેવી શાંતિ હશે…? અને પેલાએ કહ્યું, yes sir હવે ખ્યાલ આવી ગયો. કારણ બૌદ્ધિકતાનું સ્તર ગયું, વૈચારિક સ્તર ગયું. એ ‘પોતે છે’ અત્યારે.

અમને છે ને મોટી મુશ્કેલી આ છે, તમે હોતા જ નથી. કદાચ તમારો કાન હાજર હોય, કદાચ તમારું conscious mind હાજર હોય. અમારે બે ય માંથી એકેયનું કામ નથી. ન તમારા કાનને અમારે કંઈ સંભળાવવું છે, કે ન તમારા conscious mind ને અમારે રાજી કરવું છે. અમારે તમારા અસ્તિત્વ સુધી આ શબ્દો પહોંચાડવા છે. પણ તમે હાજર જ નથી હોતા અમે શું કરીએ? મારે પણ આવું કરવું પડશે ગુરુ જેવું પછી… બોલો પ્રવચનો સાંભળ્યા તમે, ઘણા સાંભળ્યા.. હજારો, કોણે સાંભળ્યા? તમારા કાને? તમારા conscious mind એ? કે તમે પોતે?

રત્નસુંદરજી જેવા મજાના વક્તા હોય, ફ્લુંઅન્ટ બોલતાં હોય, અસ્ખલિત રીતે.. આપણા કાનને મજા આવી જાય. વાહ! કોઈ પ્રવચનકાર મહાત્માએ એકદમ નવા પદાર્થો આપ્યા. તમે ક્યારે સાંભળ્યા જ નહોતા એવા… વાહ! મજા આવી ગઈ! તો મનને મજા આવી, તમારે શું એમાં? તમે ક્યાં છો? મારે તમને સંભળાવવું છે. તમે જ absent હોવ છો. અમારે શું કરવાનું? એટલે conscious mind ને બહાર મુકીને આવો. બુદ્ધિને બહાર મુકીને આવો. મેધા લઈને આવો તો વાંધો નથી. બુદ્ધિ નથી જોઈતી. જે બુદ્ધિ અહંકાર સાથે જોડાયેલી છે એ બુદ્ધિનું કામ નથી અહીંયા. અહીં તો માત્ર અહોભાવ. સદ્ગુરુને પીવા છે. બે શબ્દ મળી જશે ને કલ્યાણ થઇ જશે તમારું. વધુ સાંભળવાની પણ જરૂર નથી. તો ગુરુએ ડોક્યું કર્યું. શિષ્યએ જોયું, અને એને થયું ઓહો ગુરુના ચહેરા ઉપર આટલો પ્રશમરસ છે. તો ભગવાન બુદ્ધના ચહેરા ઉપર કેટલો હશે…! calculation લગાવી દીધું એણે… ગુરુની ચેમ્બરમાં આવ્યો. ખુબ-ખુબ ગુરુનો આભાર માન્યો કે સાહેબ મારો પ્રશ્ન વૈચારિક સ્તરનો જ હતો. પણ તમે ખરેખર અસ્તિત્વના સ્તર પર ઉત્તર આપી દીધો.

ગુર્જીએફના જીવનની એક ઘટના આવે છે, બહુ મોટા યોગાચાર્ય થયા. હમણાંના, એક સમી સાંજે એક સાધક એમની પાસે આવ્યો. એને સાધના દીક્ષા લેવી છે. આપણે અત્યારે જે આ ચાલી રહ્યું છે ને કોર્સ, એ સાધના દીક્ષા છે તમારી. અને સોમવારે સાડા નવના સેશનમાં મંત્ર દીક્ષાનું સેશન ચાલશે. તમને બધાને મંત્ર દીક્ષા આપવામાં આવશે. ઉપધાન ન કરેલા હોય તો પણ સદ્ગુરુના મુખેથી વિધિપૂર્વક તમે નમસ્કાર મહામંત્ર લઇ લો ત્યારે તમારો નવકાર મંત્ર સર્ટિફાઈડ થઇ જાય છે. એટલે સોમવારે સવારે સાડા નવ વાગે જે આપણું સેશન છે એમાં આપણે મંત્ર દીક્ષા આપીશું. તો એક સાધના દીક્ષા આવી જશે. મંત્ર દીક્ષા પણ અવી જશે. પછી ત્રીજી એક જ દીક્ષા બાકી રહી…! આ જ બાકી રહ્યું પછી. એક જ દીક્ષા બાકી રહે ને પછી…? બે દીક્ષા આવી ગઈ.

તો ગુર્જિએફ પાસે સાધના લેવા માટે આવ્યા છે. ગુરુ તમારી પાસે કઈ-કઈ અપેક્ષા રાખે છે? ગુરુ માત્ર એટલી અપેક્ષા રાખે કે તમે કમસેકમ અહીંયા આવો ત્યારે વિભાવશૂન્ય થઈને આવો. અહોભાવથી ભરાઈને આવો. વિચારોની શ્રુંખલા તમારી લાંબી ન હોય. તો તમે ગુરુને પી શકો. સાધનાને પણ લઇ શકો.

એક ઝેન ગુરુ પાસે શિષ્ય ગયેલો, એણે કહ્યું, ગુરુદેવ! મને સાધના દીક્ષા આપો. ગુરુ તૈયાર હતા. Guru is the ever ready. ગુરુ હંમેશ માટે તૈયાર છે. પણ ગુરુને જોવું પડે છે કે શિષ્ય તૈયાર છે કે નહિ… એટલે સદ્ગુરુ પાસે dual action છે. તમને તૈયાર કરે છે, તમે તૈયાર થાવ ત્યારે તમને સાધના દીક્ષા આપી દે છે. પણ સાધના દીક્ષા આપવામાં, શક્તિપાત કરવામાં સેકંડો લાગે છે. તમને તૈયાર કરતાં જન્મોના જન્મો લાગી જાય છે. એટલે હું ઘણીવાર કહેતો હોઉં છુ, કે ગુરુને બહુ જ તમે રાહ જોવડાવી, જન્મો સુધી… હવે કેટલી રાહ જોવડાવાની છે સદ્ગુરુને? જે ક્ષણે તમે તૈયાર થયા, એ જ ક્ષણે સદ્ગુરુ તમને સાધના આપી દેશે. તો પેલા ગુરુએ જોયું, કે સાધના દીક્ષા લેવા માટે આવેલો છે, પણ બુદ્ધિ અને અહંકાર તો અંદર ભરેલો જ છે. હવે બુદ્ધિ અને અહંકારથી આ સાલો ખાલી થયા વગર આવે હું એને સાધના આપું ક્યાં? પણ ગુરુ મજાના હતા. બધા જ ગુરુ મજાના જ હોય. ગુરુ મજાના હતા. અને તિબેટમાં આવેલો આશ્રમ હતો. તો તિબેટમાં ઠંડી બહુ હોય, ચા ની કીટલી ઉકળતી જ હોય. તો ગુરુએ કહ્યું તું સાધક તો પછી, મારો મહેમાન તો ખરો ને… ચાલ, હું તને ચા તો આપું. ગુરુ પોતે કપ-રકાબી એની સામે મુકીને ચા સર્વ કરે છે. કપ ભરાઈ ગયો. ચા રેડાવાની ચાલુ, રકાબી ભરાઈ ગઈ, છતાં ગુરુએ ચા રેડવાનું ચાલુ રાખ્યું. હવે કપ ભરાઈ ગયો. રકાબી ભરાઈ ગઈ, અને ચા ઢોળાય ક્યાં જાજમ ઉપર? પેલો કહે sir, sir, sir ચા જાજમ પર ઢોળાઈ રહી છે. ગુરુ કહે અચ્છા.. તું સમજ્યો ખરો કંઈ આમાં? કપ ને રકાબી ભરાયેલા હોય તો ચા  નાંખીએ તો જાય ક્યાં…?! એમ તારું હૃદય બુદ્ધિ અને અહંકારથી ભરાયેલું છે, હું સાધના રેડીશ તો જશે ક્યાં? એ તો મને કહે. પહેલા તું ખાલી થઇ જા. પછી સાધના આપું. તો સદ્ગુરુઓની એટલી બધી કરુણા હોય છે. જાત-જાતની ટેકનીક અપનાવે છે.

તો ગુર્જિએફ પાસે પેલો સાધક આવ્યો. સાંજનો સમય, સાધના દીક્ષા લેવી છે, ગુર્જિએફે એને એકદમ ઊંડી સાધના આપવી હતી. સાધક યોગ્ય હતો. પણ એના માટે થોડું કોલીફીકેશન જોઈતું હતું ગુરુને. તો ગુરુએ કામ કર્યું, ગુરુએ કહ્યું એક કામ કર, સાધના દીક્ષા તને આપું, પહેલા એક કામ કર, એટલે આપણે ત્યાં પરંપરા એ જ હતી, ગુરુ કહે તે બધું કરવું જ પડે. ગુરુકુળમાં આશ્રમોમાં તો વર્ષો સુધી ગુરુ પાણી ભરાવે, વાસિંડાથી બધું સાફ કરાવરાવે. વર્ષો પછી કદાચ જ્ઞાન આપે તો આપે નહીતર ન પણ આપે. એટલી ધીરજવાળા હોય એ જ ટકી શકે. ગુરુએ કહ્યું એક કામ કર, આ હોલમાં લાકડાના બિંબ ગોઠવાઈ રહ્યા છે ઉપર હમણાં સુથારો ચાલ્યા ગયા, આ એક બિંબ છે ને સેન્ટરમાં નથી, જરા આપણે સેન્ટરમાં કરી દઈએ. તું ઉપર ચડ. પેલો ઉપર ચડ્યો. તો ગુરુ કહે છે બસ હવે સહેજ જમણો ખેંચશું બિંબ તો સેન્ટરમાં આવી જશે. પેલાએ જમણો લીધો. ગુરુ કહે અરે યાર! જમણો વધારે આવી ગયો હવે તો… સેન્ટરમાં બિંબ આવવો જોઈએ ને… હવે થોડો left લે, left લીધો, અને left થોડું વધારે આવી ગયું, હવે આમ લે, ગુરુને બિંબને left-right ખરેખર કરાવવું નહોતું. એના મનને left-right કરાવવી હતી. અડધો કલાક સુધી ગુરુએ કસરત કરાવી, આમ, આમ, આમ, આમ… આમ જુઓ તો હેતુ વગરની કસરત હતી. એટલે દિવસે કામ કરીને આવેલો માણસ અને એકસરખું, એકધારું આ કામ આવ્યું. એને થોડોક થાક લાગ્યો. ઉપર બેઠેલો બરોબર safe, સહેજ ઊંઘ આવી જાય છે. ગુરુ એને ઊંઘવા દે છે. ગુરુ જોવે safe છે પડે એમ નથી, એક મિનિટ- બે મિનિટ ગુરુએ એને ઊંઘવા દીધો. ત્રીજી મિનિટ થઇ ને ગુરુએ એને જોશથી બુમ મારી, એય શું કરે છે? અને પેલાએ આંખ ખોલી.

શું થાય છે તમને ખબર છે, અનુભવ છે ક્યારેય? અડધી રાત્રે ક્યાંક ગયેલા હોય, જજમાનને ત્યાં મહેમાન ગતિએ, light off થયેલી છે. તમે બાથરૂમ જવા માટે બેઠા થઇ જાવ, તરત તમને યાદ ન આવે ક્યાં આવેલો છું. અહીંયા દિવસે તો આવેલો હતો, બાથરૂમ કઈ બાજુમાં છે? તમને તરત યાદ નથી આવતું. કેમ નથી આવતું? અમારે પણ આવું જ થાય, સાંજે ક્યાંક ગયા હોઈએ, કાજો લીધેલો હોય, વસતી જોયેલી હોય, બધી વિધિ કરવાની હોય, બધું કરેલું હોય, છતાં અધરાતે, મધરાતે ઉઠીએ દંડાસન તરત હાથમાં આવી જાય. એક ક્ષણ ખ્યાલ નથી આવતો કે કઈ બાજુ બાથરૂમ માટે જવાનું છે. આ જે ક્ષણ હોય છે એ બહુ મહત્વની, બહુ મહત્વની એટલા માટે ત્યાં તમે છો, ઉપયોગ છે, વિચાર નથી. બહુ જ મહત્વની ક્ષણ છે. conscious mind બાજુમાં ગયું છે. Memory ને આવતાં થોડી સેકંડો લાગે, તમે જોજો બરોબર, તરત જ memory નહિ આવે. હું ક્યાં છું તરત ખ્યાલ નહિ આવે. એકદમ ઊંઘીને ઉઠો ને તરત ખ્યાલ નહિ આવે હું ક્યાં છું? એક ક્ષણ એ seconds બહુ મહત્વની હોય. આ તમે છો, વિચારો નથી. conscious mind તમારું નથી.

ગુરુએ આ કામ કર્યું. બે મિનિટ ઊંઘવા દીધો. બુમ મારી, એય શું કરે છે? આંખ ખોલી. પણ આંખ ખોલી એટલે તરત ખ્યાલ નથી આવતો કહે છે… ગુરુને જોવે છે, તો ગુરુએ કીધું બરોબર છે. પણ હું તો શા માટે આવેલ? શા માટે ઉપર ચડેલ છે? Memory તરત નથી આવતી. એ જ ક્ષણે ગુરુ શક્તિપાત કરે છે. અને એ માણસ બિંબ પર રહ્યો – રહ્યો ગુરુના શક્તિપાતને ઝીલીને નીચે આવે છે. ગુરુના ચરણોમાં ઝૂકીને વિદાય થઇ જાય છે. શક્તિપાત થઇ ગયો.

શક્તિપાત ચાર રીતે થાય છે. ગુરુ આંખ દ્વારા પણ શક્તિપાત કરે, હાથ દ્વારા પણ કરે, શબ્દ દ્વારા પણ કરે, અને પોતાના aura સર્કલ દ્વારા પણ કરે. તમે એકદમ સ્થિર રીતે ગુરુને જોતા હોવ, તમે એકદમ સ્થિર બનેલા હોવ મનથી. વિચારો બિલકુલ નથી. અહોભાવ એકદમ આવેલો હોય, એકદમ સ્થિર ચિત્તે ગુરુને જોતાં હોવ, તો બની શકે કે એક સેકંડ ગુરુ તમારી આંખમાં આંખ મિલાવે, શક્તિપાત થઇ શકે. ગુરુની શક્તિ ત્યાં આગળ આવી જાય. ગુરુ વાસક્ષેપ આપે ત્યારે, એ ગુરુના હાથમાંથી શક્તિ નીકળે, એનર્જી. એ સીધી જ તમને મળી જાય, એટલે શક્તિપાત થઇ જાય. ગુરુ મંત્ર દીક્ષા આપે, એટલે શબ્દ શક્તિપાત થઇ જાય. એ શબ્દ, શબ્દ નહિ રહે. એ મંત્ર થઇ જશે. અને એ મંત્રમાં સદ્ગુરુની શક્તિ ઉમેરાયેલી હશે. એટલે ગુરુ શબ્દ દ્વારા પણ શક્તિપાત કરે. અને છેલ્લે તમે માત્ર ન્યુટ્રલ થઈને તટસ્થ થઈને એકદમ સશક્ત ગુરુની જોડે બેઠેલા હોવ, એમની જોડે, એમના aura સર્કલમાં ભલે ૧૦ ફૂટ દૂર, ૧૫ ફૂટ દૂર પણ એમના aura સર્કલમાં, તો બની શકે કે તમે એ aura દ્વારા પણ શક્તિપાતને પામી શકો. શબ્દમાં ગુરુ શક્તિપાત કરે. એક બહુ મજાની ઘટના આપણી પરંપરામાં નોંધાયેલી છે.

એક બહુ સરસ પુસ્તક છે, Himalayan masters. એમાં સ્વામી રામે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. સ્વામી રામ પોતે પણ યોગી છે. એકવાર ગુરુ સાથે જંગલમાં ગયેલા હોય છે. અને ગુરુએ એક વૃક્ષ ઉપર એક ઔષધી જોઈ. જે બહુ જવલ્ય મળતી હતી. તો ગુરુ વૃક્ષ ઉપર ચડ્યા, હિંદુ ગુરુ હતા. વૃક્ષ ઉપર ચડ્યા. એટલે એક ડાળ પર બેસી અને ઔષધિ લઇ રહ્યા છે. સ્વામી રામે નીચેથી જોયું. અચાનક એ સ્તબ્ધ થઇ ગયો, ગુરુ જે ડાળ પર બેઠેલા એની બાજુની ડાળ પર ભમરીઓનો મધપૂડો હતો. ભમરીઓ છંછેડાય તો, હજારોની સંખ્યામાં વળગી પડે. બાજુની જ ડાળ પર. તો ગભરાઈ ગયા સ્વામી રામ, ગુરુને ખબર નથી કે શું…? તો ગુરુને ચેતવવા પણ શી રીતે, કારણ અવાજ કરો તો પણ ભમરીઓ કદાચ જાગી જાય. એ ચિંતામાં છે, ગુરુ ટેલીપથી દ્વારા એના મનનો વિચાર પામી લે છે, ગુરુ ઉપરથી કહે છે, ચિંતા નહિ કરતાં, ચિંતા બિલકુલ નહિ કરતો. આ ભમરીઓ જે છે એને મેં મંત્ર દ્વારા સ્થિર કરેલી છે. એક પણ ભમરી અત્યારે ઉડવાની નહિ. ગુરુ નીચે આવ્યા, પછી થોડેક દૂર ગયા પછી કહ્યું, હવે ભમરીઓ છૂટી જશે. કારણ કે મંત્ર મેં લઇ લીધો છે. તો સ્વામી રામે કહ્યું, મને પણ મંત્ર આપો ને. મારે પણ ક્યારેક આવી ઔષધિ લેવી હોય તો કામ આવે. કે જંગલમાં મધપુડા ખુબ જ રહેતા હોય, ઉનાળાના સમયમાં.. અને ઉનાળામાં જ વનસ્પતિઓ ઘણી થતી હોય. ઔષધિઓ થતી હોય. ગુરુએ મંત્ર આપ્યો, પણ પછી કહ્યું, this is personally for you. માત્ર તારા માટે જ આ મંત્ર છે. આ મંત્ર બીજા માટે કામમાં નહિ આવે.

એકવાર સ્વામી રામ પોતાના એક સાધક સાથે ફરવા નીકળ્યા છે. આવી જ ઔષધિ જોઈ. બાજુમાં જ ભમરીઓનો મધપુડો. પણ મંત્ર હતો પોતાની પાસે, મંત્રથી ભમરીઓને સ્થિર કરી. ડાળ ઉપર ચડી ગયા, વનસ્પતિ લઇ લીધી. પેલો સાધક નીચેથી જોવે, અરે !ભમરીઓનો મધપુડો છે! પેલા સ્વામી રામ કહે છે ચિંતા નહિ કરતો, ભમરીઓ બધી સુતેલી છે હમણાં, હમણાં એકેય ઉઠે એમ નથી. નીચે આવ્યા સ્વામી રામ, પેલા સાધકે પૂછ્યું, આવો કયો મંત્ર કહે છે, આવો મંત્ર તો બહુ કામમાં આવે. ઉનાળામાં મધપુડા ઠેર ઠેર હોય. ભમરીના હોય, મધમાખીના હોય, અને ત્યાં જ લગભગ ઔષધિઓ રહેતી હોય છે. તો આ મંત્ર તો બહુ કામનો મને આપી દો ને, એ વખતે સ્વામી રામ ભુલી ગયા, કે આ મંત્ર માત્ર મારા માટે જ ગુરુએ આપેલો છે. ગુરુની શક્તિ કેવી કામ કરે જુઓ. સ્વામી રામ ઉપયોગ કરે તે મંત્ર ચાલવાનો છે. પણ ગુરુને ખ્યાલ આવ્યો આ બીજાને આપે તો નહિ ચાલવાનો. તું બીજાને આપીશ તો એ મંત્ર કામ નહિ કરે. આ વાત સ્વામી રામ ભુલી ગયા.

મંત્ર આપ્યો. પેલાને થયું અડબોતનો ઉધારો શું કરવો? હમણાં જ એનો ટ્રાય કરી લઉં. એ ઉપર ગયો, મંત્ર બોલ્યો, પણ એના મંત્રની અસર ક્યાં થવાની હતી! તો સ્વામી રામ તો કંઈ વિચાર કરે, એમના મનમાંથી એ વિચાર નીકળી ગયેલો છે, એટલે ખાલી બેઠા છે ને ત્યાં તો જે ભમરીઓ વચોટી હજારોની સંખ્યામાં, પેલા ઉપર તૂટી પડી, પેલો માણસ ડાળ પરથી નીચે ફેંકાણો. ત્યારે સ્વામી રામને ખ્યાલ આવ્યો કે ઓહોહો આ તો ગજબ થઇ ગયું! એટલે તરત પોતે મંત્ર બોલે છે, ભમરીઓ સ્થિર થાય છે પણ હજારો ભમરીઓએ એના શરીરમાં ડંખ મારી દીધો છે અને ભમરીઓ બહુ ડંખીલી હોય. એનું ઝેર અંદર જતું રહ્યું. થોડીવારમાં સુજાઈને દડા જેવો થઇ ગયો એ માણસ. જંગલમાં શું કરવું, બે-ચાર આદિવાસીઓને બોલાવ્યા, ગાડામાં સુવાડ્યો. ભમરીઓ થોડી બાકી હતી એ કાઢી લીધી. હોસ્પિટલ ભેગો કર્યો એને, સારી હોસ્પિટલ હતી, special રૂમમાં એને દાખલ કર્યો. ડોકટરોએ કહ્યું wait and watch. કંઈ લાગતું નથી. છેલ્લા ૭૨ કલાક જોઈએ. સારામાં સારી દવાઓ આપી, દવાઓની કોઈ અસર જ ન થાય. ૨૪ કલાક- ૪૮ કલાક ડોકટરોએ કહ્યું બસ ૭૨ કલાક. પછી એમની કોઈ આશા નથી. એ વખતે સ્વામી રામને થાય છે કે ભૂલ મારી હતી, મેં એને મંત્ર આપ્યો. ગુરુએ ના પાડેલી. મેં એને મંત્ર આપ્યો, ભૂલ મારી છે. ભોગ એ બની ગયો છે. પણ કરવું શું હવે…? તો ડીલક્ષ રૂમ હતો, પેશન્ટ આગળની રૂમમાં હતો એ, પોતે પાછળની રૂમમાં એ બેસી ગયા એ… પણ ગુરુનું ધ્યાન કરે છે. ૫૦૦ કિલોમીટર દૂર રહેલા ગુરુ ત્યાં આગળ આવે છે. તેજસ શરીરે, aura સ્વરૂપે આવે છે. આવી ઘણી બધી વાતો આપણી પરંપરામાં પણ છે.

રત્નપ્રભસૂરિ મહારાજ માટે એવી વાત છે, કે આજુબાજુમાં બે ગામ હતા, દસ-દસ કિલોમીટરના અંતરે, બંને ગામમાં પ્રતિષ્ઠા, અને એ વખતે પ્રતિષ્ઠાનું મુહુર્ત એકદમ rarest of rare જોતા, એક જ મુહુર્ત આવ્યું. એક દિવસ, એક કલાક ને એક મિનિટ, અને બંને સંઘવાળા અડી ગયા, અમારે તો આચાર્ય મહારાજ જ જોઈએ. આચાર્યશ્રી એ કહ્યું, મારો વાસક્ષેપ આપીને મારા શિષ્યને મોકલું. મારો વાસક્ષેપ મુકશે શિષ્ય. નહિ એ નહિ ચાલે. તમારી જ હાજરી જોઈએ. અને આપણી પરંપરામાં એ નોંધાયેલી છે. એક જ સેકંડે એ બંને જગ્યાએ આચાર્ય ભગવંત દેખાયા. અને આચાર્ય ભગવંતે પોતે વાસક્ષેપ કર્યો. એક જગ્યાએ મૂળ રૂપમાં, બીજી જગ્યાએ વૈક્રિય રૂપમાં પહોંચી ગયા.

તો આવી જ રીતે આ ગુરુ આવી ગયા. ગુરુએ પૂછ્યું, શું થયું બેટા? તો સ્વામી રામ કહે છે ગુરુદેવ! ભૂલ મારી થઇ ગઈ. તમે મને મંત્ર આપેલો, મેં પેલાને મંત્ર આપી દીધો. પણ આ તો હવે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે. શું કરું? તો એ વખતે રાતના ૧૨ વાગેલા હશે. ગુરુએ કહ્યું, કંઈ વાંધો નહિ. સવારે ૪ વાગે એકદમ સાજો થઇ જશે. સવારે ૪ વાગે સાજો થઇ જશે. તું સૂઈ જા અત્યારે, કહે છે. ગુરુ અદ્રશ્ય થયા, સ્વામી રામ સૂઈ ગયા, અને ખરેખર ૪ વાગે ઉઠીને પેશન્ટ પાસે ગયા. અને નર્સો ચાર-પાંચ આવી ગયેલી, બધી વિચારમાં પડી ગયેલી, અરે આ શું થઇ ગયું…! આ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો માણસ બધા જ મોનીટર્સ ખોટી રીતે ચાલતા હતા, યંત્રો, એકદમ સરસ ચાલવા માંડ્યું બધું…! સોજો અદ્રશ્ય! જે માણસ આંખ ખોલતો નહોતો, એણે આંખ ખોલી નાંખી, હસવા માંડ્યો. નર્સો પૂછે સ્વામી રામને, આ કયું મિરેકલ? તો કહે કે મારા ગુરુએ આ મિરેકલ કર્યું છે. પેલો તો બેઠો થઇ ગયો. મને ભૂખ લાગી છે લાવો. બિસ્કીટ લાવો, કોફી લાવો. કોફીનો mug આખો પી ગયો. બિસ્કીટનું બંડલ ખાઈ ગયો આખું… પછી કહે ચાલો કે જઈએ હવે…!

આ રીતે ગુરુ મંત્રમાં શક્તિ મૂકી શકે છે. કે તારા માટે મુકું છું, બીજા માટે કામમાં નહિ આવે. એ ઉવસગ્ગહરં છે ને આપણે ત્યાં, એમાં એ શક્તિ મુકાયેલી છે, તમે બોલો ને પાઠ કરો ને દેવતા આવે. પાઠસિદ્ધ વસ્તુ હતી. બીજી કોઈ સાધના કરવાની નહિ. માત્ર એને બોલવાનું. એક આચાર્ય ભગવંતે જોયું, આ તો દુરુપયોગ થઇ રહ્યો છે, લોકો સામાન્ય-સામાન્ય કામ માટે ઉવસગ્ગહરં બોલીને દેવને લાવે છે, બરોબર નથી. ઉવસગ્ગહરં એ જ રહ્યું, એમને આ શક્તિ ખેંચી લીધી. એટલે આખી જ મંત્રની દુનિયા બહુ અલગ છે.

તો ચાર રીતે શક્તિપાત ગુરુ કરે, આંખ દ્વારા કરે. હાથ દ્વારા કરે, શબ્દ દ્વારા કરે, પોતાની aura દ્વારા પણ કરે. તો આ રીતે ગુરુ શક્તિપાત કરવા તૈયાર છે. પણ શક્તિપાત માટે તમને તૈયાર કરતાં, વર્ષોના વર્ષો લાગી ગયા. જન્મોના જન્મો લાગી ગયા. હવે કેટલી વાર બોલો…? હવે કેટલી રાહ જોવડાવાની છે બોલો…? તૈયાર? ARE YOU READY? વાહ..!

તો બે વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ, કે વિચારોની ભૂમિકા ન હોય, અને અહોભાવની ભૂમિકા હોય, તો જ તમે જિનગુણ-દર્શન કરી શકો. એટલે એકદમ શાંત ચિત્તે બેસો. દસ મિનિટ, પંદર મિનિટ, વીસ મિનિટ. માત્ર પ્રભુના મુખને જુઓ જ. કોઈ જ અવધારણા નહિ, કોઈ કલ્પના નહિ, કોઈ વિચાર નહિ. માત્ર પ્રભુના મુખને જુઓ. એ જોતાં શું feeling થાય છે.. તમને પોતાને લાગશે કે કઈક કઈક સળવળાટ ચાલુ થઇ ગયો છે. કારણ ચૈતન્યથી સભર છે ભગવાન. તમે એ મુદ્રામાં બેઠા, કે ચૈતન્ય સીધું આવવા માંડે. પ્રભુને તમે touch કર્યો તો પણ તમને ચૈતન્ય નથી મળ્યું, યાદ રાખો. કારણ મનના પાત્રમાં એ ચૈતન્ય લેવાનું હતું. મન વિચારોમાં હતું, ચૈતન્યને ગ્રહણ કોણ કરે? સ્પર્શ આંગળીએ કર્યો. તમે ક્યાં હતા એ વખતે હાજર…? અત્યારે ખાલી દર્શન કરો છો. દૂર બેઠા-બેઠા… અને એ વખતે કોઈ જ વિચાર નથી, મન એકદમ સ્થિર થયેલું છે, એકદમ અહોભાવ છે, આંખો ભીની—ભીની થયેલી છે. મારા ભગવાન! મારા ભગવાન! મારા ભગવાન! એ વખતે તમને એક અલગ feeling થશે.

અને હું ઘણીવાર કહું છું, I can’t say it, you can experience it. હું પણ એને કહી નહિ શકું. મેં અનુભવ કરેલો છે. પણ આ અનુભૂતિની જ વાત છે. એટલે અનુભૂતિની વાતને શબ્દોમાં કહી શકતી નથી. But you can experience it. તમે એનો અનુભવ કરી શકો છો. રોજ ૧૫-૨૦ મિનિટ પ્રભુની સામે બેસવાનું ચાલુ કરી દો. એમાં પણ એક કામ કરો. મુંબઈ વિગેરેમાં રહો છો ત્યારે તમારી આજુબાજુમાં ઘણા બધા દેરાસરો છે. તમને જે સમય મળે છે એ સમય જ્યાં ઓછામાં ઓછી સંખ્યા રહેતી હોય ત્યાં તમે જાવ. ભક્તો ઘણા બધા હશે. અને પૂજન માટે બધા આવતાં હશે. ત્યાં તમને પ્રભુના મુખનું દર્શન કદાચ નહિ પણ થાય. પણ એવી જગ્યાએ પહોંચી જાવ, કે જ્યાં લગભગ કોઈ આવતું નથી. સમય પણ એવો પસંદ કરી લો કે જ્યારે લગભગ કોઈ હોય નહિ. અને એ સમયે પ્રભુની સામે બેસી જાવ. તમે જુઓ તમને શું feeling થાય છે. હવે આ એક અનુભૂતિની જ વાત થઇ ગઈ પછી. પછી વિતરાગદશા પણ દેખાશે. પ્રશમરસ પણ દેખાશે. પ્રભુ માત્ર સ્વમાં સ્થિર થઈને બેઠા છે એ દેખાશે. ઘણીવાર પ્રભુ કહેતાં હોય છે પોતાની મુદ્રા દ્વારા ,કે હું સ્વમાં સ્થિર થઇ ગયો છું, હવે તારે ક્યારે સ્થિર થવું છે બોલ…? પ્રભુ શબ્દો દ્વારા નહિ, પોતાની આ મુદ્રા દ્વારા, બોડી લેંગ્વેજ દ્વારા આપણને કહે છે. હું સ્વમાં સ્થિર થયો છું. માટે આટલી શાંતિ મારા ચહેરા ઉપર દેખાય છે. તું ક્યારે સ્વમાં જવાનો બોલ…?

અને એક અનુભવ કરજો, પરરસથી જેટલા છુટ્ટા પડો છો; કેવી શાંતિ આવતી જાય છે. તમારી duty તમારે perform કરવાની છે. Job કરો છો કે બીઝનેસ કરો છો, એ કરવાનું પણ છે. પણ એ વચ્ચે-વચ્ચે એમાં જ્યારે સમય મળે ત્યારે પાંચ-દસ મિનિટ આંખો બંધ કરી દેજો. ઓફિસમાં પણ, અને પ્રભુ જોડે અનુસંધાન ચાલુ કરી દેજો. સારા પુસ્તકો ઓફિસમાં રાખજો. બાયર આવ્યો, બાયર ગયો. પાંચ મિનિટ- દસ મિનિટ free પડ્યા છો. કાં તો આંખ બંધ કરીને feeling કરો. અથવા કોઈ સ્વાધ્યાય કરી લઇ લો. એક મિનિટ તમારી નકામી જવી જોઈએ નહિ.

Actually Time management તમે કરો ને, તો તમને સાધના માટે પુષ્કળ સમય મળે એમ છે. અત્યારની દુનિયાનું આ શબ્દ બહુ પ્યારો છે. Time management. તમે લોકો time manage કરતા નથી. એક કાર્ય પછી બીજા કાર્યમાં વચ્ચે ૧૫ મિનિટ હોય છે, એ ૧૫ મિનિટ ડાફોળિયાં મારવામાં જતી રહે છે. એક-એક મિનિટનો ઉપયોગ કરો. એક-એક મિનિટનો… બે મિનિટ મળી; શાંત ચિત્તે બેસી જાવ.

આજે આપણે ચોથા ચરણમાં શાંત ચિત્તે બેસવાનું કરીએ છીએ ને, બહુ જ અદ્ભુત ઘટના છે. હું તો વર્ષોથી આના ઉપર પ્રયોગ કરું છું સાધકો ઉપર. ઘણા બધા સાધકો મળ્યા. ગુસ્સો બહુ આવતો હતો નિમિત્તો દ્વારા. આસક્તિ પણ બહુ થતી હતી, અહંકાર આવતો હતો. એમણે practically approach કરીને મને કહ્યું, સાહેબ છ મહિના-આઠ મહિના, બાર મહિના દસ-દસ મિનિટ, પંદર-પંદર મિનિટ શાંત ચિત્તે બેસી રહ્યા એકદમ. એના દ્વારા એવો એક અભ્યાસ આવી ગયો છે કે ક્રોધનું નિમિત્ત મળે મનમાં ગુસ્સો આવવાની તૈયારી થાય, આંખો બંધ કરી અને એકદમ બેસી જઈએ, હજુ ચિત્ત શાંત ન થયું હોય ને ત્યાં પણ અમે ક્રોધથી cut off થઇ જઈએ. માત્ર આ મુદ્રા દ્વારા. આમ બેઠા, આંખો બંધ, પેલું સર્કલ ચાલુ થઇ જાય, સાઇકલ ચાલુ થઇ જાય. એટલે આ રીતે તમે તમારી ક્ષણોનો ઉપયોગ કરો, દસ મિનિટ મળી, પાંચ મિનિટ મળી, શાંત ચિત્તે બેસી જાવ બસ. ઓફિસમાં પણ બેસી જાવ. જેટલી સાધનાને વધુ ઘૂંટશો, એટલું જ result તમને વધુ મળશે. આગળના ત્રણ ચરણો આપણે મનની એકાગ્રતા માટે આપીએ છીએ. કે શ્વાસ પર મનને સ્થિર કરો, પદ પર મનને સ્થિર કરો. આખરે તો સ્વમાં જ જવું છે. પદ એટલે શબ્દ,અને શબ્દ એટલે પર. જેમ વિચાર પર છે, એમ શબ્દ પણ પર છે. એટલે પરમાં આપણે જવું નથી. આપણે આપણી અંદર જ જવું છે. આપણા સ્વમાં.

હું ઘણીવાર કહું, મમ્મી ઘરે, હાંડવો, પુડીશ, નમકીન બધું બનાવી આપતી હોય, એ છોકરો લારી-ગલ્લે ખાવા જાય ખરો? હળવો ઘરે મળે, પુડીશ મળે, નમકીન મળે, એ છોકરો લારી ગલ્લે જાય સડેલું ખાવા? એમ પ્રભુ આપણને આટલું બધું આપે આપણે બહાર જઈએ ખરા? ક્યાંય બહાર જવાની જરૂર નથી. માત્ર અંદર બેસી જાવ.

તો ચોથું ચરણ એટલા માટે છે. કે તમારે ભીતર જવાનું છે. માત્ર ઉપયોગ. જે બહાર જઈ રહ્યો છે, એને ભીતર લાવવાનો છે. કેમેરા તમારા મનનો બહાર તરફ ફોકસ થયેલો છે એને અંદર તરફ લેવાનો છે બીજું કાંઈ કરવાનું નથી. આ દરવાજા પાસે કોઈ કેમેરો મુકે અને એનું લેન્સ સામે હોય તો શું થશે? કોઈ પેલી બાજુથી આવતું હશે એનું પ્રતિબિંબ પડશે. હોલમાં ચાલે છે એનું કંઈ કેમેરાને ખબર જ નથી હોતી. લેન્સ ફેરવી નાંખશું તો? તમારા કેમેરાના લેન્સને ખાલી ફેરવવાના છે બસ. ફોકસ ફેરવી નાંખો. બહાર જે કેમેરા તકાયેલ છે એને ભીતર કરી નાંખો.

તો ચોથું ચરણ એના માટે બહુ જ મહત્વનું છે. એટલે એ ચોથા ચરણને વારંવાર ઘૂંટજો. અહીંથી ગયા પછી પણ પાંચ મિનિટનો સમય મળ્યો તો પણ શાંત ચિત્તે બેસી જજો. દસ મિનિટ મળી તો પણ શાંત ચિત્તે બેસી જજો. પછી મને કહેજો કે અનુભવ કેવો રહ્યો. તો practical શરૂ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *