Param Sparsh Ni Yatra – Vachana 34

7 Views
1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : વૈખરી થી પરા સુધીની યાત્રા

વાણીના આયામમાં વૈખરીથી પરા. જેમાં માત્ર શબ્દો છે, તે વૈખરી વાણી. શબ્દોની સાથે અર્થનું અનુસંધાન થાય, તે મધ્યમા. ધ્યાનની પૃષ્ઠભૂ પર સ્પષ્ટ અક્ષરો લખાયેલા દેખાય કે શબ્દો સંભળાય, તે પશ્યન્તિ. એનાથી પણ સૂક્ષ્મ માત્ર ભાવોના માધ્યમથી અપાય, તે પરાવાણી.

અનુભૂતિના આયામમાં વૈખરીથી પરા. શબ્દ તમે બોલો, તે વૈખરી. શબ્દની સાથે અર્થની અનુપ્રેક્ષા કરી, તે મધ્યમા. તમારા ગુણોની અનુભૂતિ તમે કરો, તે પશ્યન્તિ. તમારા સ્વરૂપની તમે અનુભૂતિ કરો, તે પરા.

જોનારાને (દ્રષ્ટાને) કાર્યથી છૂટો પાડવો – તે જ સાધના. જોનારો જયારે સ્પષ્ટ અનુભવ કરે કે શરીર આ બધું કામ કરી રહયું છે; મારે એની જોડે કોઈ સંબંધ નથી – તે અનુભૂતિની ક્ષણો.

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના –

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *