વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : પ્રભુની સાધનાનું composition: સાક્ષીભાવ + સમર્પણ
સાક્ષીભાવ મળે એટલે તમે ભીતર ઊતરી જાઓ છો. પણ એ ભીતર ઊતરવાની સાથે તમારી અહોભાવની ધારા સતત ચાલુ રહેવી જોઈએ કે મારા પ્રભુએ મને આ આપ્યું; પ્રભુ ન હોત, તો હું ક્યાં હોત!
સમર્પણનો આ લય જો તમારી પાસે નથી; તમે ઝૂકી શક્યા નથી અને સીધા જ સાક્ષીભાવમાં તમે ગયા છો, તો એક શક્યતા રહે છે કે મને સાક્ષીભાવ મળ્યો છે; સાક્ષીભાવની ટોચ પર હું છું – એનો પણ અહંકાર આવી શકે છે. એકલો સાક્ષીભાવ કોરો પડી જાય છે.
તો સામી બાજુ એકલું સમર્પણ લચીલું બની જાય છે. તમારી અપેક્ષાની પૂર્તિ સદગુરુ દ્વારા થાય અને તમે માની લો કે મને સદગુરુ પ્રત્યે પૂર્ણ સમર્પણ છે. પણ, આ સદગુરુ પ્રત્યેનું સમર્પણ નથી; પોતાના હું પ્રત્યેનું સમર્પણ છે.