વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ભાસન વીર્ય એકતાકારી
ભાસન એટલે આત્મજ્ઞાન. વીર્ય એટલે આત્મોપયોગ. આત્મજ્ઞાન અને આત્મોપયોગ એક થઈ જાય ત્યારે જે અનુભૂતિ થાય, તે ધ્યાન.
સાક્ષીભાવ એ ધ્યાનનો base. સદગુરુ આપણને શક્તિપાત થકી સાક્ષીભાવનું એવું રક્ષાકવચ આપી શકે કે આપણે એક ક્ષણ પણ વિભાવોમાં જઈ શકીએ નહિ.
અતીતની યાત્રામાં ટોચની કક્ષાના કેટલાય સદગુરુઓ મળ્યાં છતાં માત્ર શ્રધ્ધા અને સમર્પણના અભાવે આપણે એમનો શક્તિપાત ઝીલી ન શક્યા અને આપણો સંસાર ચાલુ રહ્યો.