વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ધ્યાન સહજ સંભારી રે
ધ્યાન એટલે સ્વરૂપ-સ્થિરતા. ઉપયોગ સ્વમાં રહે, તે ધ્યાન. તમે તમારામાં હોવ, તે ધ્યાન. તમારું મન જે સતત પરમાં જતું હોય, તેને તમે અટકાવી શકો તેવું નિયંત્રણ આવે, પછી ધ્યાન બહુ સરળ છે.
અત્યારે તમારું મન ખોટી રીતે treat થયેલું છે એટલે વારંવાર પરમાં જતું રહે છે. સાક્ષીભાવ આવે, એટલે આ રીતે પરમાં જવાનું બંધ થઈ જાય.
ના ભૂતકાળનું સ્મરણ. ના ભવિષ્યની ચિંતા. માત્ર વર્તમાનની શુદ્ધ ક્ષણમાં સાક્ષીભાવે રહેવાનું. આવો સાક્ષીભાવ સહજ ધ્યાનની પૃષ્ઠભૂમિકા બની જાય.