Mumukshu Vachna | 30-03-20 | Navsari Tapovan

1 Min Read

પ્રભુ નિર્મલ દરિશન કીજીયે

નિર્મલ દર્શન એટલે નિર્વિકલ્પ દર્શન. નિર્વિકલ્પ દશા એટલે જ્યાં વિચારો નથી અને જોનાર તરીકે તમે છો. વિચારો ન હોય અને તમે માત્ર દ્રષ્ટા હોવ – આ ભૂમિકા આવે એ પછી જ નિર્મલ દર્શન મળે; જિનગુણ દર્શન મળે.

તમે નિર્વિચાર બની શકો એ માટેનો એક ઉપાય : વિસ્મય. આશ્ચર્ય (વિસ્મય) એ યોગભૂમિકામાં પ્રવેશવાનું દ્વાર છે. આશ્ચર્યકારક ક્ષણ જ્યારે આવે, ત્યારે તમારું conscious mind બાજુમાં જતું રહે, વિચારો બાજુમાં રહે; માત્ર તમે હોવ.

અત્યારે આપણને પ્રભુના દર્શનનો આનંદ કેમ નથી મળતો? કારણ એક જ છે કે આપણી ભીતર વિચારો ચાલ્યા જ કરતા હોય છે. તમે totally પ્રભુની પાસે નથી હોતા. There should be the totality. જે કરો, એ સમગ્રતાથી કરો; સંપૂર્ણ અસ્તિત્વથી કરો

ગયા જન્મમાં તમારા ગુરુ વ્યક્તિરૂપે જુદા હતા, આ જન્મમાં તમારા ગુરુ વ્યક્તિરૂપે જુદા છે; પણ ગુરુચેતના એક જ છે. તમને જે ગુરુ વ્યક્તિરૂપે દેખાય છે એ પોતાની બાજુ માટે ગુરુચેતના જ છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *