ગુરુ વ્યક્તિ, ગુરુચેતના, પરમચેતના
તમારી પ્રાર્થનાના base પર પરમચેતના તમને select કરે છે અને ગુરુચેતનાને initial stage નું કામ શરૂ કરવા સંદેશો મોકલે છે. ગુરુના તમારી તરફ ખુલતા બે જ કાર્યો છે – તમારામાં પ્રભુમિલનની પ્યાસ જગાવવાની અને પ્યાસ જાગી જાય એટલે પ્રભુનું મિલન કરાવી દેવાનું!
ગુરુચેતનાની વ્યાખ્યા શું? જેણે પોતાના હૃદયને ખાલી કરી નાંખ્યું છે અને અસ્તિત્વના એ ખાલીપામાં પરમચેતના ઊતરી આવી છે – એ ગુરુચેતના. આવી ગુરુચેતના એ અખંડાકાર ઘટના છે અને જન્મોથી તમારી ઉપર કામ કરી રહી છે.
ગયા જન્મમાં તમારા ગુરુ વ્યક્તિરૂપે જુદા હતા, આ જન્મમાં તમારા ગુરુ વ્યક્તિરૂપે જુદા છે; પણ ગુરુચેતના એક જ છે. તમને જે ગુરુ વ્યક્તિરૂપે દેખાય છે એ પોતાની બાજુ માટે ગુરુચેતના જ છે.
