Mumukshu Vachna | 29-03-20 | Navsari Tapovan

1 Min Read

ગુરુ વ્યક્તિ, ગુરુચેતના, પરમચેતના

તમારી પ્રાર્થનાના base પર પરમચેતના તમને select કરે છે અને ગુરુચેતનાને initial stage નું કામ શરૂ કરવા સંદેશો મોકલે છે. ગુરુના તમારી તરફ ખુલતા બે જ કાર્યો છે – તમારામાં પ્રભુમિલનની પ્યાસ જગાવવાની અને પ્યાસ જાગી જાય એટલે પ્રભુનું મિલન કરાવી દેવાનું!

ગુરુચેતનાની વ્યાખ્યા શું? જેણે પોતાના હૃદયને ખાલી કરી નાંખ્યું છે અને અસ્તિત્વના એ ખાલીપામાં પરમચેતના ઊતરી આવી છે – એ ગુરુચેતના. આવી ગુરુચેતના એ અખંડાકાર ઘટના છે અને જન્મોથી તમારી ઉપર કામ કરી રહી છે.

ગયા જન્મમાં તમારા ગુરુ વ્યક્તિરૂપે જુદા હતા, આ જન્મમાં તમારા ગુરુ વ્યક્તિરૂપે જુદા છે; પણ ગુરુચેતના એક જ છે. તમને જે ગુરુ વ્યક્તિરૂપે દેખાય છે એ પોતાની બાજુ માટે ગુરુચેતના જ છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *