Mumukshu Vachna | 31-03-20 | Navsari Tapovan

1 Min Read

નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો

વિકલ્પ અને વિચાર બે જુદી ઘટના છે. સાદો વિચાર હોય – જેમાં રાગ-દ્વેષ-અહંકાર ન ભળેલા હોય એવો – એને આપણે વિચાર કહીએ છીએ. અને જે વિચારમાં રાગ-દ્વેષ-અહંકાર ભળેલા હોય એને આપણે વિકલ્પ કહીએ છીએ. આપણી પરંપરા નિર્વિકલ્પ ઉપયોગને વધુ મહત્ત્વ આપશે.

વિભાવનો અંગારો સત્તામાં હોય એ ઉદયમાં આવે ત્યારે તમે એને વિકલ્પોની હવા નાંખીને એ અંગારાને ભડકામાં ફેરવી શકો છો અને જાગૃતિ કે દ્રષ્ટાભાવની રખિયા નાખીને એ અંગારાને શાંત પણ કરી શકો છો.

એટલે કદાચ વિચાર આવી જાય, તો પણ એ તમારી સાધનામાં અવરોધ નહિ નાંખે; વિકલ્પ જ તમારી સાધનામાં અવરોધ નાંખશે. ઉદયમાં તમે ભળી જાઓ, તો નવો બંધ બાંધશો. અને જો ઉદયની ક્ષણોમાં તમે નિર્વિકલ્પ દ્રષ્ટા બની રહ્યા, તો નિર્જરા કરશો..

અત્યારે આપણને પ્રભુના દર્શનનો આનંદ કેમ નથી મળતો? કારણ એક જ છે કે આપણી ભીતર વિચારો ચાલ્યા જ કરતા હોય છે. તમે totally પ્રભુની પાસે નથી હોતા. There should be the totality. જે કરો, એ સમગ્રતાથી કરો; સંપૂર્ણ અસ્તિત્વથી કરો

ગયા જન્મમાં તમારા ગુરુ વ્યક્તિરૂપે જુદા હતા, આ જન્મમાં તમારા ગુરુ વ્યક્તિરૂપે જુદા છે; પણ ગુરુચેતના એક જ છે. તમને જે ગુરુ વ્યક્તિરૂપે દેખાય છે એ પોતાની બાજુ માટે ગુરુચેતના જ છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *